________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૫૧
ભાવાર્થ- ધર્મ, અર્થ, કામ, મોક્ષ-એ ચાર પુરુષના જ પ્રયોજન કહ્યા છે. આ પ્રસિદ્ધ છે, તેથી તેમનું નામ પુરુષાર્થ છે એવું પ્રસિદ્ધ છે તેમાં ચોથો પુરુષાર્થ મોક્ષ છે. તેને પુરુષ જ સોધે છે. બીજાં શ્વાન, ગર્દભ, બળદ, પશુ કે સ્ત્રી–તેમને મોક્ષનું સોધવું પ્રસિદ્ધ નથી. જો હોય તો મોક્ષનો પુરુષાર્થ એવું નામ કેમ હોય? અહીં આશય એવો છે કે મોક્ષ શીલથી થાય છે. જે શ્વાન, ગર્દભ આદિ છે તે તો અજ્ઞાની છે, કુશીલ છે, તેમનો સ્વભાવ પ્રકૃતિ જ એવી છે કે તે પલટીને મોક્ષ પામવા યોગ્ય તથા તેને સોધવા યોગ્ય નથી. તેથી પુરુષને મોક્ષનું સાધન શીલને જાણીને અંગીકાર કરવું. સમ્યગ્દર્શનાદિ છે તે શીલના પરિવાર પહેલાં જ કહેલા છે. આ પ્રકારે જાણવું જોઈએ. ૨૯
હવે કહે છે કે શીલ વિના માત્ર જ્ઞાનથી જ મોક્ષ નથી. તેનું ઉદાહરણ આપે છે:
जइ विसयलोलएहिं णाणीहि हव्विज्ज साहिदो मोक्खो। तो सो सच्चइपुत्तो दसपुव्वीओविकिं गदो णरयं ।। ३०।। यदि विषयलोलैः ज्ञानिभिः भवेत् साधितः मोक्षः। वर्हि सः सात्यकिपुत्रः दशपूर्विक: किं गतः नरकं ।। ३०।।
જો મોક્ષ સાધિત હોત વિષયવિલુબ્ધ જ્ઞાનધરો વડે, દશપૂર્વધર પણ સાત્યકિચુત કેમ પામત નરક ને ? ૩૦
અર્થ:- જે વિષયોમાં લોલ અર્થાત્ લોલુપ-આસક્ત છે અને જ્ઞાન સહિત છે એવા જ્ઞાનીઓએ જો મોક્ષ સાધ્યો હોય તો, દશ પૂર્વનો જાણનાર રૂદ્ર નરકમાં કેમ ગયો?
ભાવાર્થ- માત્ર શુષ્ક જ્ઞાનથી જ મોક્ષ કોઈએ સાધ્યો-એમ કહીએ તો દશ પૂર્વનો પાઠી રૂદ્ર નરકમાં કેમ ગયો? તેથી શીલ વિનાનું એકલું શુષ્ક જ્ઞાન સાવ નિરર્થક છે. રૂદ્ર કુશીલનું સેવન કરવાવાળો થયો. મુનિપદથી ભ્રષ્ટ થઈને કુશીલનું સેવન કર્યું, તેથી નરકમાં ગયો. આ કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે. ૩)
હવે કહે છે કે શીલ વગર જ્ઞાનથી જ ભાવની શુદ્ધતા થતી નથી:
जइ णाणेण विसोही सीलेण विणा बुहेहिं णिद्दिट्ठो। दसपुवियरस भावो य ण किं पुणु णिम्मलो जादो।।३१।।
૧ વિષયવિલબ્ધ = વિષયલુબ્ધ; વિષયોના લોલુપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com