________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
XVI
સવાલ આ વાતનો નથી કે ક્યાં ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું, હકીકતમાં વાત એ છે કે તેમના દિક્ષાગુરુ કોણ હતા, અને તેમને આચાર્યપદ કોનાથી મેળવ્યું હતું?
જયસેનાચાર્યદવે આ ગ્રંથની ટીકામાં તેમને કુમારનંદિસિદ્ધાંતદેવના શિષ્ય બતાવ્યા છે અને નંદિસંઘની પટ્ટાવલીમાં જિનચંદ્રના શિષ્ય બતાવ્યા છે. પરંતુ આ કુમારનંદી અને જિનચંદ્રનું નામ માત્ર જ જણાવ્યું છે. એમના સંબંધમાં પણ વિશેષ જાણકારી પ્રાપ્ત થતી નથી. બની શકે છે કે આચાર્ય કુન્દકુન્દની સમાન તેમના દિક્ષાગુરુના પણ બે નામ હોય. નંદિસંઘમાં દીક્ષા લેતી વખત બાલબ્રહ્મચારી નાની ઉંમરના હોવાને કારણે એમનું નામ કુમાર નંદી રાખવામાં આવ્યું હોય. ત્યારબાદ પટ્ટ પર બેસાડવામાં આવેલ હોય એ વખતે તેઓ જિનચંદ્રાચાર્યના નામથી જાણીતા થયા હોય. પટ્ટાવલીમાં જિનચંદ્રનો નામોલ્લેખ હોવાથી આ કારણ પણ હોઈ શકે છે. પટ્ટાવલીમાં માઘનંદી, જિનચંદ્ર અને પદ્મનંદી (કુન્દકુન્દ) કમથી આવે છે. નંદિસંઘમાં નંદ્યન્ન (નન્દી છે અન્ત જેમને) નામ હોવું સહજ પ્રતીત થાય છે.
પંચાસ્તિકાયની તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકાના આરંભમાં સમાગત જયસેનાચાર્યનું કથન મૂળથી આ પ્રકારે છે:
"अथ श्री कुमारनंदिसिद्धान्तदेवशिष्यैः प्रसिद्धकथा न्यायीन पूर्वविदेहं गत्या वीतराग सर्वज्ञ श्री सिमंधर स्वामितीर्थंकर परमदेव दुष्टवा तन्मुख कमलविनिर्गत दिव्य वाणी अण्णावा-धारितपदार्थाच्छुद्धात्मतच्चादिमार्थ गृहीद्वा पुनरप्यागतैः श्रीमकुन्दकुन्दाचार्यदेवे: पद्यनद्याद्यपराभिधेर्य रत्नस्तत्त्वबहितै त्त्वगौणमुख्य प्रातिपत्यधर्मधवा शिवकुमार महवराजादि संक्षेप रुचिशिष्य प्रतिबोधनार्थ विरचिते पञ्यास्तिकायपा मृतशास्त्रयथा क्रमेणाधिकार शुद्धिपूर्वकं तात्पर्यार्थ व्याख्यावं कध्यति।
શ્રી કુમારનંદિસિદ્ધાંતદેવના શિષ્ય પ્રસિદ્ધકથાન્યાયથી પૂર્વવિદેહ જઈને વીતરાગ સર્વજ્ઞ શ્રી સીમંધરસ્વામી તીર્થંકર પરમદેવના દર્શન કરીને તેમના મુખકમળમાંથી નીકળેલ દિવ્યધ્વનિને સાંભળી શુદ્ધાત્માદિ તત્ત્વોની સાથે પદાર્થોને અવધારીને-ગ્રહણ કરીને આવેલા શ્રી પદ્મનંદી વગેરે જેમનું બીજું નામ છે તે શ્રીકુન્દકુન્દાચાર્યદવ દ્વારા અંત:તત્ત્વ અને બદ્ધિતત્ત્વને ગૌણ અને મુખ્ય પ્રાપ્ત કરીને તેમજ શિવકુમાર મહારાજ વગેરે સંક્ષેપ રુચિવાળા શિષ્યોને સમજાવવા માટે રચેલ પંચાસ્તિકાયપ્રાભૃત શાસ્ત્રમાં પ્રકરણો અનુસાર કમસર તાત્પર્યના અર્થોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે.'
ઉપરના ઉદાહરણમાં પ્રસિદ્ધ કથાન્યાયના આધારથી કુન્દકુન્દના વિદેગમનની ચર્ચા પણ કરવામાં આવી છે. આથી ખાતરી થાય છે કે આચાર્ય જયસેનના સમય (વિક્રમની બારમી શતાબ્દીમાં) આ કથા સારી પેઠે પ્રસિદ્ધ હતી.
વિક્રમની દસમી સદીના આચાર્ય દેવસેનના દર્શનસારમાં આવેલી ગાથામાં પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com