________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અષ્ટપાહુડ)
x
વૃદ્ધ પુરુષો દ્વારા આજ સુધી પણ એક પ્રસિદ્ધ કહેવત સાંભળવામાં આવે છે કે એક સમય જયપુર નગરમાં એક મોટા અન્યધર્મી વિદ્વાન જયપુરનગરના વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં જીતવાની ઇચ્છાથી આવેલ હતા. તે વખતે તે વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ કરવા માટે જયપુર નિવાસી કોઈપણ વિદ્વાન તેમની સન્મુખ ગયું નહિ, આવી હાલતમાં નગરના વિદ્વાનોની તથા નગરની વિદ્વતાની અપકીર્તિ ન થઈ જાય એ હેતુથી તથા રાજ્યની કીર્તિ વાંચ્છક નગરના વિદ્વાન પંચ તથા રાજ્યકર્મચારી વર્ગે પંડિત જયચંદ્રજી છાબડા પાસે આવીને સવિનય વિનતિ કરી હતી કે આ વિદ્વાનને શાસ્ત્રાર્થમાં આપ જ જીતી શકો તેમ છો, તેથી આ નગરની પ્રતિષ્ઠા આપના પર જ નિર્ભર છે, માટે શાસ્ત્રાર્થ કરવાના નિમિત્તે આપ પધારો. આપ નહિ આવશો તો નગરની બદનામી થશે કે મોટા મોટા પંડિતોની ખાણ જેવા આ વિશાળ નગરને એક પરદેશી વિદ્વાન જીતી ગયો.
આ વાત સાંભળીને પંડિત જયચંદ્રજી છાબડાએ જવાબ આપ્યો કે હું તો જય-પરાજયની અપેક્ષાથી શાસ્ત્રાર્થ કરવા કયાંય જતો નથી. તેમ છતાં આપ લોકોનો એવો જ આગ્રહ છે તો મારા આ પુત્ર નંદલાલને લઈ જાઓ. એ એમની સાથે શાસ્ત્રાર્થ કરી શકશે. તેનાથી રાજી થઈને સર્વ લોક ૫. નંદલાલજીને લઈ ગયા અને ૫. નંદલાલજીએ શાસ્ત્રાર્થ કરી વિદેશી વિદ્વાનને પરાજિત કર્યો. તેના ઉપકારવશથી રાજ્ય તથા નગરપંચ તરફથી ૫. નંદલાલજીને કંઈક ઇલ્કાબ મળ્યો હતો. તેના વિષે ૫. જયચંદ્રજીએ અવશ્ય કર્તવ્યમાં ઉપકાર માની એના પ્રતિફળ સ્વરૂપ લેવામાં આવશ્યક કર્તવ્ય તથા ઉપકારને નીચો પાડવા સમાન છે'- એવું કહીને એ પદવીને પાછી આપી દીધી હતી.
આ કથાનકથી સારી રીતે જાણવા મળે છે કે આપ તથા આપના પુત્ર કેટલા મોટા વિદ્વાન હતા અને પોતે ઐહિક આકાંક્ષાથી કેટલા નિરપેક્ષ હતા. એમના પિતાનું નામ મોતીરામજી હતું. જાતિના ખંડેલવાલ શ્રાવક હતા તથા છાબડા ગોત્રમાં તેમનો જન્મ થયો હતો. એમની ઉંમર ૧૧ વર્ષની હતી તે સમયથી જૈન ધર્મ તરફ એમનું ચિત્ત વિશેષ આકર્ષાયું તું. તેઓ તેરાપંથીના અનુયાયી હતા તથા તેઓ પરકૃત ઉપકારને વિશેષ માનતા હતા. તેથી એમનામાં કૃતજ્ઞતા પણ ભારોભાર હતી. કેમકે પંડિત બંશીધરજી, પંડિત ટોડરમલજી, પં. દોલતરામજી, ત્યાગી રાયમલ્લજી, વ્રતી માયા રામજી વગેરેની કૃતિઓ તથા એમના ઉપકારરૂપ પ્રશસ્તિ પોતે ઘણા જ સુંદર શબ્દોમાં કરી છે. પોતે ગોમ્મસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, સમયસાર, અધ્યાત્મસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, રાજવાર્તિક, શ્લોકવાર્તિક, અષ્ટસહસ્ત્રી, પરીક્ષામુખ આદિ મુખ્ય મુખ્ય અનેક ગ્રંથોનું વાંચન તથા મનન કર્યું હતું. જેનો સર્વ ખુલાસો ભાષા સર્વાર્થ સિદ્ધિ વગેરેની પ્રશસ્તિ વાંચવાથી મળી રહે છે.
એમણે જે જે અનુવાદરૂપ કૃતિ લખી છે તેમનો ખુલાસો અમે પ્રમેયરત્નમાલાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com