________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રપાહુડ)
૭૭
स्थूले त्रसकायवधे स्थूलायां मृणायां अदत्तस्थूले च। परिहारः परमहिलायां परिग्रहारंभपरिमाणम्।। २४।।
ત્યાં સ્થૂલ ત્રસહિંસા-અસત્ય-અદત્તના, પરનારીના પરિહારને, આરંભપરિગ્રહમાનને અણુવ્રત કહ્યાં. ૨૪
અર્થ:- સ્થળ ત્રસકાયનો ઘાત, સ્થૂળ મૃષા અર્થાત્ અસત્ય, ધૂળ અદત્તા અર્થાત્ બીજાનું દીધા વિનાનું ધન, પર મહિલા અર્થાત્ પરસ્ત્રી–આ સર્વનો તો પરિહાર અર્થાત્ ત્યાગ અને પરિગ્રહ તથા આરંભનું પરિમાણ-એમ પાંચ અણુવ્રત છે.
ભાવાર્થ- અહીં સ્થૂળ કહેવાનો એવો અર્થ જાણવો કે જેમાં પોતાનું મૃત્યુ થાયબીજાનું મૃત્યુ થાય, પોતાનું ઘર બગડ, બીજાનું ઘર બગડે, રાજાના દંડને યોગ્ય થાય, પંચના દંડને યોગ્ય થાય, આ પ્રમાણે મોટા અન્યાયરૂપ પાપકાર્ય જાણવા. આ પ્રમાણે સ્થૂળ પાપ રાજાદિકના ભયથી ન કરે તે વ્રત નથી. તેને તીવ્ર કષાયના નિમિત્તથી તીવ્ર કર્મબંધનું નિમિત્ત જાણીને સ્વયમેવ ન કરવાના ભાવરૂપ ત્યાગ હોય તે વ્રત છે. તેમના અગિયાર સ્થાનક કહ્યાં છે. તેમાં ઉપર ઉપર ત્યાગ વધતો જાય છે. તેની ઉત્કૃષ્ટતા સુધી એવો છે કે જે કાર્યોમાં ત્રસ જીવોની બાધા પહોંચતી હોય એ પ્રકારના બધાં કાર્ય છૂટી જાય છે. તેથી સામાન્ય એવું નામ કહ્યું છે કે ત્રસહિંસાનો ત્યાગી દેશવ્રતી હોય છે. આનું વિશેષ કથન અન્ય ગ્રન્થોમાંથી જાણવું.૨૪
હવે ત્રણ ગુણવ્રત કહે છે –
दिसिविदिसिमाण पढमं अणत्थंदृइंडस्स वज्जणं बिदियं। भोगोपभोगपरिमा इयमेव गुणव्वया तिण्णि।। २५ ।।
दिग्विदिग्मानं प्रथमं अनर्थदण्डस्य वर्जनं द्वितीयम्। भोगोपभोगपरिमाणं इमान्येव गुणव्रतानि त्रीणि ।। २५।। દિશવિદિશગતિ-પરિમાણ હોય, અનર્થદંડ પરિત્યજે, ભોગોપભોગ તણું કરે પરિમાણ, -ગુણવ્રત ત્રણ્ય છે. ૨૫
અર્થ - દિશા-વિદિશામાં ગમનનું પરિમાણ તે પ્રથમ ગુણવ્રત છે, અનર્થ દંડનો ત્યાગ બીજું ગુણવ્રત છે અને ભોગ-ઉપભોગનું પરિમાણ ત્રીજું ગુણવ્રત છે-આ રીતે આ ત્રણ ગુણવ્રત
ભાવાર્થ- અહીં ગુણ શબ્દ તો ઉપકારનો વાચક છે. એ અણુવ્રતોને ઉપકાર કરે છે. દિશા-વિદિશા અર્થાત્ પૂર્વ આદિ દિશા-વિદિશામાં ગમન કરવાની મર્યાદા કરે. અનર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com