________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
(અષ્ટપાહુડ
ण वि सिज्झदि वत्थधरो जिणसासणे जड विहोड तित्थयरो। णग्गो विमोक्खमग्गो सेसा उम्मग्गया सव्वे ।। २३ ।। नापि सिध्यति वस्त्रधर: जिनशासने यद्यपि भवति तीर्थंकरः। नग्नः विमोक्षमार्ग: शेषा उन्मार्गकाः सर्वे।। २३।।
નહિ વસ્ત્રધર સિદ્ધિ લહે, તે હોય તીર્થંકર ભલે; બસ નગ્ન મુક્તિમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. ૨૩
અર્થ - જિનશાસનમાં આ રીતે કહ્યું છે કે, વસ્ત્ર ધારણ કરનાર સીઝતા નથી, મોક્ષ પામતા નથી. જો તીર્થકર હોય તોપણ જ્યાં સુધી ગૃહસ્થ રહે ત્યાંસુધી મોક્ષ પામતા નથી. દીક્ષા લઈને દિગમ્બરરૂપ ધારણ કરે ત્યારે જ મોક્ષ પામે છે. કેમકે નગ્નતા જ મોક્ષમાર્ગ છે. બાકીના બધા લિંગ ઉન્માર્ગ છે.
ભાવાર્થ:- શ્વેતામ્બરાદિ, વસ્ત્ર ધારણ કરનારને પણ મોક્ષ થવાનું કહે છે તે મિથ્યા છે. તે જિનમત નથી ર૩. હવે સ્ત્રીઓને દીક્ષા નથી તેનું કારણ કહે છે:
लिंगम्मि य इत्थीणं थणंतरे णाहिकक्खदेसेसु। भणिओ सुहुमो काओ तासिं कह होइ पवज्जा।। २४ ।। लिंगे च स्त्रीणां स्तनांतरे नाभिकक्षदेशेषु। भणितः सूक्ष्मः कायः तासां कथं भवति प्रव्रज्या।। २४।। સ્ત્રીને સ્તનોની પાસ, કલે, યોનિમાં નાભિ વિષે,
બાહુ સૂક્ષ્મ જીવ કહેલ છે; કયમ હોય દીક્ષા તેમને? ૨૪. અર્થ - સ્ત્રીઓને લિંગ અર્થાત્ યોનિમાં, સ્તનાંતર અર્થાત્ બન્ને સ્તનોના મધ્યપ્રદેશમાં તથા કક્ષ અર્થાત્ બન્ને બગલમાં, નાભિમાં સૂક્ષ્મકાય અર્થાત્ દષ્ટિને અગોચર જીવ કહ્યા છે. તેથી આ પ્રમાણે સ્ત્રીઓને પ્રવ્રજ્યા અર્થાત્ દીક્ષા કેમ હોય ?
ભાવાર્થ- સ્ત્રીઓની યોનિ, સ્તન, બગલ, નાભિમાં પંચેન્દ્રિય (સૂક્ષ્મ) જીવોની ઉત્પત્તિ નિરંતર કહી છે. તેમને મહાવ્રતરૂપ દીક્ષા કેવી રીતે હોય? મહાવ્રત કહેલ છે તે ઉપચારથી કહ્યા છે, પરમાર્થથી નહિ. સ્ત્રી પોતાના સામર્થ્યની હદ સુધી પહોંચીને વ્રત ધારણ કરે છે. આ અપેક્ષાએ ઉપચારથી મહાવ્રત કહ્યા છે. ૨૪ કહે છે કે જો સ્ત્રી પણ દર્શનથી શુદ્ધ હોય તો પાપરહિત છે, ભલી છે:
जइ दंसणेण सुद्धा उत्ता मग्गेण सावि संजुत्ता। धोरं चरिय चरित्तं इत्थीसु ण 'पव्वया भणिया।।२५।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com