________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૯)
ભાવના વધારે છે; એવી મુનિદશા દ્રવ્યભાવથી પ્રગટ કરું કે મારા અવિકારી ચૈતન્યસ્વરૂપમાં અંતરંગમાં પુણ્ય-પાપ નહીં, અસ્થિરતા નહીં, ઈષ્ટ–અનિષ્ટ લાગણી નહીં તેમ બાહ્યથી વસ્ત્ર નહીં; એવી ઉત્કૃષ્ટ સાધકદશા વિના મોક્ષ પ્રગટે જ નહિ. અહીં તો આસક્તિના ભાવના સર્વથા નિરોધનો દઢતર અભિપ્રાય રગડાય છે. બાર ગાથા સુધી મુનિપણાની ભાવના છે, મારા પૂર્ણ સ્વરૂપમાં સ્થિર રહેવાનો ઉત્સાહુ (અર્થાત્ સ્વરૂપમાં સાવધાની) વર્તે પણ તેમાં અસાવધાની – (પ્રમાદ) નો અંશ પણ ન હો!
પ્રતિકૂળતાની અગ્નિરૂપ લાગણીમાં સાધકને બળવું પાલવે નહીં, અને અનુકૂળતાની બરફરૂપ લાગણીમાં ગળવું પાલવે નહીં, એવી અંદરમાં પરમ ઉદાસીનતા (લૂખાશ ) જોઈએ. ધ્યાતા, ધ્યાન, ધ્યેયનો વિકલ્પ તૂટીને તદ્દન સ્થિરતા વર્તે એવી દશા કયારે આવશે? તેની આ ભાવના છે.
મુંડભાવ મસ્તક, દાઢી આદિના કેશ વધારવા નહીં; (મુંડનના દસ પ્રકાર હોય છે). દેહની આસક્તિનો અભાવ (અશરીરી ભાવ) જ્યાં વર્તે છે ત્યાં ઇન્દ્રિયો અને વિષયકષાયોનું મુંડન હોય જ, અને બાહ્ય પણ મુંડન હોય,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com