________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૮).
સ્થિરતાનો અપૂર્વ સ્વ-સમાધિયોગ કયારે આવશે? એ અહીં ભાવના છે. || ૮
નગ્નભાવ, મુંડભાવ સહુ અસ્નાનતા,
અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિર્ચથ સિદ્ધ જો.
અપૂર્વ ા ાા તે અપૂર્વ અવસરને ધન્ય છે કે જ્યારે દેહ તે માત્ર સંયમ હેતુ હોય, નગ્ન રહે, વસ્ત્ર નહીં, દ્રવ્ય અને ભાવે નગ્ન નિગ્રંથ, અંતરમાં દેહાદિની આસક્તિની લૂખાશ-અનાસક્તિ અને બાહ્ય કુદરતી દિગંબર દેહ પણ લૂખો એટલે કે જગતની લાગણીનાં લૂગડાં નહિ, દેહનો રાગ નહીં, તેથી રાગનું નિમિત્ત વસ્ત્ર પણ નહીં. શરીરમાં શાતાની આસક્તિનો જેને ભાવ નથી, અશરીરી ભાવે જેનું વર્તન છે એવા મુનિને માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે.” ૨૯ મા વર્ષે શ્રીમદ્ આ ભાવના ભાવે છે. હુઠથી કાંઈ થતું નથી, પણ રાગ ટાળતાં કૃત્રિમતા ટળી જાય છે. પ્રથમ દષ્ટિમાંથી દેહભાવ ટળ્યો છે; નગ્ન ભાવે, બાહ્યાંતર નિર્ચથતાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com