________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૬) કોણ કોની નિંદા કરે ?
એકેક અક્ષર અનંત પરમાણુઓનો બનેલો છે, તે (વાણી) તો પરમાણુની અવસ્થા છે. તે નિંદાના શબ્દો કહેતા નથી કે તું વૈષ કર, પણ અજ્ઞાની પોતાની ઊંધી માન્યતાને લીધે, “અમારી નિંદા કરે છે” એમ માની પોતે પોતાના ભાવે દ્વેષ કરે છે. પણ જ્ઞાનીને રાગ-દ્વેષ કરવા નથી તો પછી પરાણે કોણ કરાવી શકે?
જ્ઞાની જાણે છે કે નિંદાના શબ્દોનાં જડ રજકણો પુસ્તકપણે થવાનાં હોય તેને કોઈ પણ શક્તિ રોકી શકે તેમ નથી, એમ જાણનાર જીવને ગમે તે પરિષહ આવે ત્યારે ક્ષમા કરવી તે મારું સહજ સ્વરૂપ છે, સમતા સ્વરૂપની સ્થિરતા વધારવાની ઉત્તમ કસોટીનો આ કાળ છે, સામો જીવ મને દુઃખ દેવામાં નિમિત્ત થાય છે એમ તેનો દ્વષ ન થાય, પણ તેની અજ્ઞાનદશા જોઈ કરુણા આવે. પણ કોઈ પ્રત્યે દ્વેષ કે ક્રોધ ન થવો જોઈએ એમ સમતાભાવ રાખે છે.
જ્યાં સુધી પરવસ્તુમાં જીવે કર્તુત્વ-મમત્વ માન્યું છે અને પરથી જુદાપણું સમજ્યો નથી, ત્યાં સુધી તે અભિમાન અને રાગદ્વેષ કરશે, તથા પરનો કર્તા-ભોક્તા છું, એવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com