________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૪) જ્ઞાન સ્વભાવમાં સવળો થતાં બેહદ સંતોષ સ્વરૂપ પૂર્ણ શુદ્ધતાના ભાનવડે અનંતજ્ઞાન, અનંત સંતોષ રાખી શકું છું. અનંત સંસારની વાસના છેદીને હું પુણ્ય-પાપરહિત પૂર્ણ શુદ્ધ પવિત્રતામાં ઠરું, અને નિત્યસ્વભાવનો સંતોષ પામું એવી અહીં ભાવના છે.
પૂર્ણ પવિત્ર સિદ્ધપદ પોતામાં શક્તિપણે છે તેની પ્રાપ્તિના લોભનો વિકલ્પ છઠ્ઠા ગુણસ્થાન સુધી આવી જાય છે, પણ દ્રષ્ટિમાં શુભ વિકલ્પનો નકાર છે અને ભવિષ્યમાં “પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો” તેનો વર્તમાનમાં સંતોષ વર્તે છે; એટલે સંસારના પુણ્યાદિ પરમાણુઓની ઈચ્છા નથી; પણ મોક્ષ ઈચ્છાનો વિકલ્પ તૂટીને સ્વરૂપસ્થિરતાની અપૂર્વ જમાવટ કયારે આવશે ? એવી અહીં ભાવના છે. ૭.
બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચ િતથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જે.
અપૂર્વ ૮ાા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com