________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૬).
કોઈપણ સંયોગે ક્ષોભ કે અસ્થિરતા ન થાય. વિકથા-આત્માની ધર્મકથા ભૂલીને પરકથા માંડે તેવી વૃત્તિ પણ ન આવે. સંસારની કુથલીનો રસ તે વિકથા છે તે જ્ઞાનીને ન હોય. જેને મોક્ષની પૂર્ણ પવિત્રતાનો પ્રેમ છે તેને સંસારના વિષય, કષાય, નિંદા આદિ કરવાનો ભાવ કેમ હોય ? ન જ હોય.
મુનિપણામાં આવા પાંચ પ્રકારના વિષય તથા ક્રોધ, માન, માયા, લોભની ચોકડીનો અભાવ હોય છે. પ્રમાદ-આત્મસ્વરૂપમાં અણઉત્સાહ તેનું નામ પ્રમાદ છે. આત્મસ્વરૂપમાં ઉત્સાહ અથવા સ્વરૂપમાં સાવધાની તેનું નામ અપ્રમાદ છે. એવી સર્વોત્કૃષ્ટ સાધકદશા (સ્વકાળ સ્થિતિ સ્થિરતા) વર્તે, એવી શુદ્ધ અવસ્થાની એકાગ્રતા જલ્દી વર્તો એવી અહીં ભાવના છે.
“દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ” (૧) દ્રવ્ય પ્રતિબંધ વણ-કોઈ પરવસ્તુ વિના ન ચાલે, તેમાં અટકવું પડે તેમ હોય નહિ. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર સિવાય જ્ઞાનીને કાંઈ જોતું નથી. (૨) ક્ષેત્ર પ્રતિબંધ વણ-હુવા, પાણી, સગવડતા અમુક ક્ષેત્રે સારા છે માટે ત્યાં રોકાવું તેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com