SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ( ૩૫ ) સ્પર્શ એ બધામાં રાગ-દ્વેષ થવો જોઈએ નહિ અને વિશેષ કરીને તેમની ઉપેક્ષા વર્તવી જોઈએ. જેથી હાથીના કડક ચામડે કાંકરીનો સ્પર્શ થતાં તેનું કંઈ લક્ષ ન હોય, તેમ સ્વરૂપ સ્થિરતાની રમણતામાં પ્રકૃતિના શુભ અશુભ પક્ષનું લક્ષ પણ ન હોય. જ્ઞાતાસ્વરૂપના પૂર્ણ ધ્યેય આગળ વિષય કષાયની વૃત્તિ (વિકલ્પ ) પણ ન આવે. ગમે તેવા પ્રતિકૂળ, અનુકૂળ પુદ્દગલ રચનાના વિકૃત ગંધ-રસ, રૂપના ગંજના ગંજ પડયા હોય છતાં તે નિમિત્તની અલ્પ પણ અસર ન થાય. " પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો’ પાંચ પ્રમાદ થઈ ન જાય, એટલે કે સ્વરૂપમાં અસાવધાની ન થાય. પ્રમાદ પાંચ પ્રકારના છે-મદ, કષાય, વિષય, નિંદા, વિકથા. મદ-પોતાના સ્વરૂપની જેને મહત્તા વર્તે છે તેને પ૨વસ્તુના ક્ષણિક સંયોગની મમતા કેમ આવે ? જેમ ચક્રવર્તીને ચોસઠ હજા૨ સેરૂવાળા અતિ મૂલ્યવાન ઘણા હાર હોય, તેને ભીલ ચણોઠીનો હાર આપી જાય તો તેનો ક્ષોભ કેમ થાય ? તેમ જ્ઞાની ધર્માત્માને વિષયકષાયથી ક્ષોભ ન થાય. એટલે તે હોય જ નહિ. જ્ઞાનસ્વરૂપની સ્થિરતામાં Please inform us of any errors on [email protected]
SR No.008209
Book TitleApurva Avsar Pravachan
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, & Rajchandra
File Size511 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy