________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નથી, તેમજ ચેતનગુણમાં પરનિમિત્તનો વિકાર નથી, એમ અનુભવદશાના ભાનવડે પુરુષાર્થની જાગૃતિ સહિત જ્ઞાની કહે છે, પણ તે વાતો કરવાથી બને તેમ નથી. સ્વરૂપની પૂર્ણ સ્થિરતા થઈ ગઈ હોય તો આવી ઉત્કૃષ્ટ સાધક સ્વભાવની ભાવના ભાવવાની બાકી રહે નહિ પણ ચારિત્ર ગુણ અધૂરો છે, તેથી ચારિત્ર મોહકર્મના ઉદયમાં થોડું જોડાવું થાય છે, તે વિધ્ર છે એમ જાણે છે.
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ” તેથી અહીં કહ્યું છે કે ચારિત્રમોહ વિશેષ કરીને ક્ષીણ થતો જાય છે તેને દેખીએ. સમ્યફ બોધ વડે પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થતાં સાધક સ્વભાવ પ્રગટે છે, પણ તેમાં પ્રકૃતિના નિમિત્તે થતી અસ્થિરતા કેટલી ટળી છે, અને કેટલી બાકી છે તે નક્કી કરી, સ્થિરતા વડે ચારિત્રમોહુ ક્ષય કરવા માટે પુરુષાર્થ વધારે છે, અને જ્ઞાનની સ્થિરતા વધતાં ચારિત્રમોહ વિશેષ કરીને ક્ષીણ થતો જાય છે. એની ખાત્રી સ્વાનુભવમાં આવે છે એનું નામ “વિલોકીએ” છે. આત્માના ભાન પછી ચારિત્ર મોહ “પ્રક્ષીણ” એટલે કે વિશેષે કરીને મોહ ક્ષય થતો જાય છે. અહીં ઉપશમની વાત કરી નથી, જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com