________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪) વિચારે છે. પૂર્ણ સમય સાધવાની ભાવના ઉપાડી છે. ૨. દર્શનમોહું વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે,
દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.
અપૂર્વ શા ૩ાા
દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે” આત્માના અભિપ્રાયમાં ભ્રાંતિ એટલે કે પુણ્ય-પાપ રાગાદિ શુભાશુભ પરિણામ વૃત્તિને પોતાની માનવી, તેને આદરણીય માનવી તેનું નામ દર્શનમોહ છે. આત્મા પોતાને ભૂલરૂપ માને છે તેથી હું પરનો કર્તા ભોક્તા છું એમ કલ્પના કરે છે. આત્મતત્ત્વ અસંગ છે, તેનો અબંધ સ્વભાવ છે, તે પરના બંધન રહિત છે. વસ્તુસ્વભાવ એવો હોવા છતાં એમ ન માનતાં પ્રકૃત્તિના નિમિત્તનું બંધન મારામાં છે, હું પુણ્યાદિવાળો છું, શુભ પરિણામ એ મારું કર્તવ્ય છે, એ આદિ પ્રકારે પરભાવમાં એકત્વબુદ્ધિ થવી તેનું નામ દર્શનમોહ છે. એક આત્મતત્ત્વને બીજા તત્ત્વના ભેળવાળો, ઉપાધિવાળો, બંધનવાળો માનવો તે દર્શનમોહ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com