________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮) શ્રી સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનમાં જેવું આત્માનું સ્વરૂપ જાણ્યું તેના અનંતમે ભાગે તેઓ વાણીમાં કહી શકે; અને જેટલું વાણી દ્વારા પદાર્થનું કથન થાય તેના અનંતમે ભાગે શ્રી ગણધરદેવ પોતાના જ્ઞાનમાં ઝીલી (ધારણ કરી) શકે, અને તેના પણ અનંતમા ભાગે બીજાને સમજાવી શકે, તથા બાર અંગ (સૂત્રો) રચી શકે. ગણધર એટલે ગુણના સમુદાયને ધરનારા. હજારો સંત મુનિવરોમાં અગ્રેસર એવા શ્રી ગણધરદેવે જગતના હિત માટે બાર અંગો (સૂત્રો) ની રચના કરી. તેનો મુખ્ય સાર “શ્રી સમયસારજીશાત્ર” માં છે. છતાં પાનાં, શબ્દો, જડ વાણી-અનંત પરમાણુ-(રજકણો) નો સમૂહુ તેમાં, તથા મનના વિકલ્પ દ્વારા અતીન્દ્રિય આત્માનું વર્ણન સંપૂર્ણ થઈ શકે નહીં, માત્ર કથંચિ શબ્દથી પદાર્થને ભેદ પાડીને ઓળખાવી શકાય.
અવિરોધપણે આત્મા મન-ઇન્દ્રિયથી જુદો છે, માટે:
“તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.”
જેને સમ્યક્દર્શન વડે સ્વાનુભવ થયો છે, તેણે અંશે સ્વાનુભવથી આખું દ્રવ્ય-પ્રમાણ જામ્યું છે.
હું શુદ્ધ છું, મુક્ત છું.” એવા મનના સંબંધના વિકલ્પોથી તે સ્વરૂપનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com