________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૮) શેકી નાખવામાં આવે ત્યારે સ્વાદે મીઠો લાગે છે, અને વાવીએ તો ફરી ઊગતો નથી. ચણાનો તે સ્વાદ-(ગુણ) તાવડામાંથી, અગ્નિમાંથી કે બીજા કોઈમાંથી પ્રગટ થયો નથી, પણ ચણામાં જ અપ્રગટ શક્તિપણે હતો તે ચણામાંથી પ્રગટ થઈ સ્વાદ આપે છે; તેમ શ્રદ્ધા, જ્ઞાનની રમણતાથી કર્મબંધનની ચીકાશ ટાળીને વીતરાગદશા પ્રગટ કરે તો પોતાનો અનંત આનંદ જે શક્તિરૂપે છે તે પ્રગટ સ્વાદ આપે અને ફરી સંસારબીજ ઊગે નહીં.
પ્રશ્ન:- સાકર ખાય તેના ગળપણનો સ્વાદ આત્માને કેમ આવે છે?
ઉત્તર:- આત્મા ગળ્યો થઈ જતો નથી. અરૂપીમાં સ્પર્શ નામનો મૂર્તિક ગુણ નથી. આત્મા ગળપણનું જ્ઞાન કરે છે, તેથી આત્મામાં કંઈ જડ સ્વાદ પેસી જતો નથી; સાકરનો સ્વાદ કોઈ લેતું નથી, પણ તેના સ્વાદને જ્ઞાની જાણે છે અને અજ્ઞાની તેમાં રાગ કરે છે. સાકર જડ ( રૂપી) છે, આત્મા અરૂપી છે; છતાં જાણે હું ગળ્યો થઈ ગયો હોઉં, એમ માની અજ્ઞાની રાગને વેદે છે એટલે કે તે સંબંધીનું ઊંધું જ્ઞાન કરી રાગરૂપ હર્ષને ભોગવે છે. રાગ તે દુઃખ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com