________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૨) દર્શન, અનંત સુખ અને અનંત વીર્યની પૂર્ણ શુદ્ધતા પ્રગટ થતાં અંતર્મુહૂર્ત કાળ લાગે છે. તેમાં સહજ પુરુષાર્થ વડે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મ ક્ષય થઈ જાય છે. થોડા સમયમાં અનંત ચતુષ્ટમય સુપ્રભાત કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. રાગ-દ્વેષરૂપ મોહકર્મનો સર્વથા ક્ષય કરવાથી જિન કહેવાય છે. પૂર્ણ કૃતકૃત્ય હોવાથી પરમાત્મા કહેવાય છે. એ આદિ પ્રકારે ઈશ્વર, શિવસ્વરૂપ, જિનેશ્વર, ભગવાન, વીતરાગ વગેરે અનેક નામથી સંબોધી શકાય છે. તે સંપૂર્ણ દશાને
સર્વમાનાંતષ્ઠિ ” પણ કહેવાય છે, તેનો અર્થ એવો છે કે:- કેવળજ્ઞાન-દર્શનમાં પોતે અને પોતાથી ભિન્ન એવા સમસ્ત જીવ-અજીવ એવા ચરાચર પદાર્થો તથા તેના સર્વ ક્ષેત્ર, કાળ, ભાવ એક જ સમયમાં સહજપણે, સામાન્યપણે અને વિશેષપણે જણાય છે.
નિશ્ચયથી પોતાના છેલ્લા મનુષ્યદેહાકાર અરૂપી જ્ઞાનઘનમાં કેવળ નિજસ્વભાવનું અખંડ જ્ઞાન-દર્શન એક જ સમયમાં વર્તે છે. દેહ છતાં સર્વજ્ઞદશા તે તેરમું ગુણસ્થાન છે. કેવળજ્ઞાનમાં સંપૂર્ણ સર્વજ્ઞતા નથી એમ માનનારના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com