________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪]
[ શ્રી અનુભવ પ્રકાશ નગારાં વગાડ્યાં છે. તે આત્મપદ અથવા સ્વપદને અવલોકનના ભાવ કર. વળી શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રચેતનાનો પ્રકાશ સ્થિર કરી, સ્વરૂપપરિણતિ કરે, પોતાના આત્માનો ભરોસો કરે તે દર્શન, પોતાનું જ્ઞાન તે જ્ઞાન, ને પોતામાં સ્થિરતા તે ચારિત્ર-આમ દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્મામાં છે. ચેતનાનો પ્રકાશ સ્થિર કરી, સ્વરૂપપરિણતિ કરે તો વિકારનો નાશ થાય; પરમાં શ્રદ્ધા-જ્ઞાન ને સ્થિરતા કરતો તે હવે પોતામાં કરે ને ઠરે.
વળી ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ છે ને પુણ્ય-પાપ, શરીર, મન, વાણી વગેરે અનાત્મા છે. આ આત્માની અપેક્ષાએ ભગવાન પણ અનાત્મા છે, જ્ઞાયકજ્યોતિ આત્માથી ભિન્ન છે- એમ જાણનાર આત્મા પોતે છે. અનાત્માને પોતામાં ભેળવે તો પોતે જાણનાર ન રહ્યો તેથી અનાત્માથી આત્મા જાદો છે. વળી અખંડ પ્રકાશ છે. ચૈતન્યનો એકરૂપ પ્રકાશ છે. આત્મામાં અંતર્મુખ વળે તે ચિવિલાસનો અનુભવ કરે. અંતરપરિણામવડે જ્ઞાન પ્રકાશે પણ બાહ્ય વડે પ્રકાશે તેવું નથી.
જ્યાંથી પર્યાય ઊઠે છે અથવા વહે છે તેમાં પરિણામ લગાવે, અર્થાત પર્યાય પર્યાયવાનમાં લગાવે, પણ બહારમાં પરિણામ ન કરે. પ્રથમ આવી સમજણ કરવી કે આ માર્ગ છે, આત્મા ચિદાનંદ પ્રકાશ છે, તેનાં પરિણામ જ્ઞાનમાં રોકે પણ બહાર જવા ન દે.
જેમ પાણીમાં નવાં નવાં મોજાં ઊડે છે, તેમ ચિદાનંદ પ્રભુ આત્મામાં જ્ઞાનના નવા નવા પરિણામ થાય છે. નિત્યાનંદ આત્મા જ્ઞાનથી ભરેલો દરિયો છે, તેમાં નવા નવા પરિણામ થાય તે અંગ છે ને અંતરમાં લીન થઈને અભંગપણે પરિણામ ઉઠાવે તે ધર્મ છે.
અજ્ઞાની લોકો કહે છે કે વ્રત-તપ પ્રથમ કરો તો પછી ધર્મ થાય, તો તે વાત ખોટી છે. પ્રથમ સમ્યગ્દર્શન વિના વ્રત જ ન હોય, સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ઓળખાણનો શુભરાગ હોય છે, પણ તેના આલંબનરૂપ રાગને ઓળંગીને ધર્મ થાય છે. જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com