________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૨, ગુરુ ૧૮-૧૨-૫૨
પ્ર. - ૧૨
પોતાનું સ્વરૂપ સાક્ષાત્ કેમ થાય તે કહે છે. જેવો નિર્ણય કર્યો હોય તેવું પરિણમન થાય છે. હું રાગ છું, હું પુણ્ય છું, હું શરીર છું તથા શરીરથી લાભ થાય છે એવી મતિ હોય તો સંસારની ગતિ થાય છે; હું જ્ઞાનાનંદ છું ને શરીરથી જુદો છું એવી મતિ હોય તો આત્માનો સાક્ષાત્કાર થાય.
પ્રથમ નિર્મળભાવથી સંસારભાવને ગૌણ કરે, હલકા બનાવે. દયા-દાનાદિના ભાવ થાય તે મારું સ્વરૂપ નથી, સંસારનો આખો ભાવ અધઃ (ગૌણ) કરે. ચૈતન્યસ્વભાવ આનંદકંદ છે, તે ઊર્ધ્વસ્વભાવી છે, તેની અપેક્ષાએ શુભાશુભભાવ અધઃ (હલકા) છે તેથી તેને અધ: (ગૌણ) કરે. કેવી રીતે કરે તે કહીએ છીએ.
આત્મામાં સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર કેમ થાય તે બતાવે છે. શરીરાદિ સર્વ રૂપી જડ પદાર્થ છે તેમાં મમત્વ ન કરવું, શરીરની ક્રિયા મારાથી થતી નથી. કાજળમાં મેલપ તન્મય છે, તેમ જડની ક્રિયા જડથી તન્મય છે, મારાથી તન્મય નથી. શરીરમાં સ્વપણું માનવાથી સુખ ન થાય પણ દુઃખ જ થાય.
વળી રાગ-દ્વેષ-મોહભાવ બધા વિકાર છે, તે મારો સ્વભાવ નથી. અશાતાનો ભાવ, તૃષ્ણાભાવ કે ઈચ્છા થાય તે હેય છે. ચિદાનંદને છોડી પુણ્ય-પાપનો ભાવ તે અવિશ્રામભાવ-ખેદ છે. પુણ્ય-પાપ અસ્થિરભાવ છે, દુઃખભાવ છે, આકુળતાભાવ છે, ખેદભાવ છે. આસ્રવભાવ અજ્ઞાનભાવ છે, કેમકે વિકાર પોતાને તથા આત્માને જાણતો નથી માટે અજ્ઞાનભાવ છે, તેથી હેય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com