________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ-પ્ર-૧૦]
[ પ૭ અજ્ઞાનીને ભરોસો આવતો નથી, પોતાની ઊંધી કલ્પનાથી દુર્લભ માને છે. છતીને અછતી માની, તેથી અનાદિ દુઃખરૂપ ફળ પામ્યો. શરીર પુગલની અવસ્થા છે, તેને આત્મા કેમ માનીએ? શરીર તો લોહી, વીર્ય આદિ સાત ધાતુથી બનેલું છે. આત્મા ચેતન છે, શરીર અચેતન છે. આત્મા સજાતીય છે ને શરીર વિજાતીય છે. આત્મા અવિનાશી છે ને શરીર નાશવાન છે. આત્મા સ્વ છે અને શરીર પર છે.
પ્રશ્ન :- દેહુની ક્રિયા ધર્મ માટે કરવી કે નહિ?
સમાધાન - દેહની ક્રિયા ક્યા દિવસે કરી શકાય છે કે કરવી એમ કહી શકાય? તેને આત્મા કરી શકતો નથી, માટે કરવી કે નહિ તે પ્રશ્ન રહેતો નથી. શરીરની ક્રિયાથી લાભ માનનાર શરીરને પોતાનું માન્યા વિના રહે જ નહિ. ઓથે ઓથે કદાચિત્ કહે કે આત્મા અને શરીર જુદા છે, પણ જે શરીરને ધમનું સાધન માને તે શરીરને પોતાનું માન્યા વિના રહે નહિ.
પ્રશ્ન :- વ્યવહારે તો લાભ હશે ને?
સમાધાન :- શરીરની ક્રિયાને તો વ્યવહાર પણ કરી શકતો નથી, પણ જેને પોતાના સ્વભાવનું ભાન છે, તેના શુભ રાગને વ્યવહાર કહેવાય છે. ચિદાનંદ સ્વભાવમાં સંસાર નથી, તેમ જ મુક્તિ પણ નથી. એવી દષ્ટિ નથી તે શરીરથી લાભ માનનાર સ્કૂલ મિથ્યાદષ્ટિ છે.
હવે કર્મની વાત કરે છે. જ્ઞાનાવરણીય કર્મવર્ગણા મારી ચીજ નથી. તે ઘટાડું તો લાભ થાય તેમ માને છે તે ભૂલ છે. કર્મ મારા આનંદને આપે તેમ બને નહિ. કર્મમાં અનુભાગબંધ થયો તે મને રસ આપવા સમર્થ નથી. અજ્ઞાનીએ માન્યું છે કે જ્ઞાનાવરણીય કર્મ મને ફળ આપશે, તે ભૂલ છે. આત્માને ફળ આપે તેવી જ્ઞાનાવરણીયમાં તાકાત નથી. મારો રસ કર્મ આપી શકે નહિ, અને તેનો રસ મારામાં આવે નહિ. તે કર્મથી મારી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com