________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પs]
શ્રી અનુભવ પ્રકાશ ચિદાનંદ પ્રકાશથી હું તન્મય છે. જેમ સૂર્ય પ્રકાશથી તન્મય છે ને અંધારાથી અતન્મય છે તેમ ચિદાનંદ સૂર્ય જાણવાના પરિણામથી તન્મય છે, પણ તે રાગદ્વેષાદિ સાથે કદી પણ તન્મય થયો નથી. તો પછી શરીરાદિ સાથે તન્મય થાય તેમ કદી બને નહિ. જડની પર્યાયનો આત્મામાં અત્યંત અભાવ છે. જડની પર્યાય એક સમય પણ આત્માની પર્યાયમાં પ્રવેશતી નથી. વિકાર આત્માની એક સમયની પર્યાયમાં છે. પણ વસ્તુસ્વભાવમાં તે વિકારનો પણ અત્યંત અભાવ છે. | મારો જ્યોતિસ્વરૂપ સ્વભાવ પ્રગટરૂપે મારા આત્મામાં પ્રકાશી રહ્યો છે, સમ્યજ્ઞાનપ્રકાશ ઘટમાં પ્રગટ છે, પ્રકાશ છુપાઈ રહ્યો નથી.
ગુરુએ શિષ્યને કહ્યું કે-મીઠાની કાંકરી પાણીમાં નાખ. શિષ્ય નાખી ને તે ઓગળી ગઈ. બીજે દિવસે ગુરુએ શિષ્યને કહ્યું કે તે મીઠાની કાંકરી લઈ આવ. શિષ્ય કહ્યું કે પાણીમાં કાંકરી ક્યાંય નથી. ગુરુએ કહ્યું કે મીઠાનો ગાંગડો હાથવડે જોવાથી મળશે નહિ; પણ પાણીનો સ્વાદ ચાખ તો ખ્યાલ આવી જશે.
તેમ હાથની ક્રિયાવડે આત્મા મળે તેમ નથી, પુણ્ય-પાપની ક્રિયાથી મળે તેવો નથી, પણ આત્મા તો જ્ઞાનસ્વભાવવડ મળે તેવો છે. મને સમજાતું નથી એમ અજ્ઞાની કહે છે, પણ જ્યાં સમજાવું નથી ત્યાં જ આત્મા જ્ઞાનવડ પકડાય તેવો છે.
અહીં કહે છે કે જ્યોતિ સ્વરૂપ પ્રકાશ અંતરમાં પ્રકાશી રહ્યો છે. તે દેખે છે, તે છુપાઈ રહ્યો નથી, જ્ઞાન સ્વભાવે પ્રગટ છે, તેને છુપાએલો કેમ માનો છો? “મને આત્માની ખબર પડતી નથી” એમ કહે છે, પણ ખબર પડતી નથી એટલી જેને ખબર પડી તે જ આત્મા છે. અહીં છતી વસ્તુ છે તેને અછતી કેમ કરો છો? તું ન માન તોપણ છતી વસ્તુ અછતી થતી નથી. છતી ચીજ ન માને તો ભ્રમણાથી રખડે પણ તે અછતી થતી નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com