________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪]
[ શ્રી અનુભવ પ્રકાશ દોષ થયો, પણ એમ નથી. ભગવાન કોઈને ડુબાડનાર નથી તેમ જ ઉગારનાર પણ નથી. પોતાના પુરુષાર્થથી ભૂલ ટાળે ને સાચી શ્રદ્ધા કરે તો સુખ થાય.
- બીડી વિના ચાલે નહિ, અડદની દાળ સરખી ન હોય તો ચાલે નહિ, તમાકુ વિના ચાલે નહિ-તેવી માન્યતાવાળા રાંકાને આ વાત બેસતી નથી. ઊંધી કલ્પનામાં આખો ભગવાન આત્મા સમાઈ જતો નથી. પોતે સદાય પૂર્ણ જ્ઞાનાનંદ પ્રભુ છે એવી શ્રદ્ધા થતા પોતાના સ્વરૂપનું અવલોકન થાય છે.
અજ્ઞાની પર ચીજોમાં ગુણ માને પણ પોતામાં ગુણ ન માને. રોટલી ભૂખ ભાંગે, પાણી તૃષા છિપાવે, કપડું ટાઢ ઉડાડ, મકાન રક્ષા કરે-વગેરે ચીજોના ગુણને માને પણ પોતાને તો નમાલો માને છે. અહીં કહે છે કે, તારો સ્વભાવ ગુસ પડ્યો છે, તેનો ભરોસો તને આવતો નથી. શરીર અને વિકારથી ભિન્ન આત્મસ્વભાવ નિર્લેપ છે તેની શ્રદ્ધા કેમ થાય તે કહે છે.
પ્રથમ સર્વ લૌકિક રીતથી પરામુખ થાય. સંસારના સંકલ્પવિકલ્પ આડ આ સત્ય વાત સૂઝતી નથી. દુનિયા આમ કહેશે, આમ નહિ કરીએ તો લોકમાં આબરૂ નહિ રહે-તેવા લૌકિક પ્રસંગોથી પરાફમુખ થઈને નિજવિચાર સન્મુખ થાય.
ચિદાનંદ ભગવાન કર્મરૂપી ગુફામાં બેઠો છે. આઠ કર્મરૂપી ધૂળમાં છુપાયેલો છે. કર્મ માર્ગ આપે, એમ માની ત્યાં તપાસવા માંડે તો ભગવાન આત્મા મળે તેમ નથી. પહેલી શરીરાદિ નોકર્મગુફા છે જે કર્મ બાંધવામાં નિમિત્ત છે. બીજી જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મગુફા છે તે સૂક્ષ્મ છે તથા ત્રીજી રાગ-દ્વેષાદિરૂપ ગુફા છે, એ ત્રણ એક પછી એક કર્મકંદરાઓ છે.
પ્રથમ નોકર્મગુફામાં પરિણતિ પેસી જુએ છે કે મારો રાજા ક્યાં છે? જાણવા-દેખવાના પરિણામ શરીર અને વાણીમાંથી આવતા હશે? વાણીમાં, શરીરમાં, પરમાણુની ક્રિયામાં આત્મા હશે? પણ ત્યાં કોઈ દેખાતું નથી. શરીર તો જડ છે. પર્યાયબુદ્ધિવાળાને ચૈતન્ય ભાસતો નથી. શરીરની ક્રિયાથી ધર્મ થાય-એમ અજ્ઞાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com