________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૭
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૭] ન્યારા ન્યારા જાણે. માણસો કહે છે કે અમો ધર્મ કરીએ છીએ પણ સુખ આવતું નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતિ ને એકાગ્રતા કરતાં ધર્મદશા થાય છે. ચિદાનંદના પર્વત ઉપર ચડવાથી ધર્મ થાય છે. જ્ઞાનના પ્રવાહની પરિણતિ તે સ્વભાવની છે ને પરમાં અટકતો અંશ તે રાગ છે, તે દોષ છે-એમ ન્યારા ન્યારા જાણે.
જાણવા-દેખવાના વ્યાપારવાળો છું, રાગ-દ્વેષાદિ પરિણામવાળો નથી. ચૈતન્યસ્વભાવને અનુસરીને થતા પરિણામને ઉપયોગ કહે છે. આમ અંતરમાં વિચારે છે. મારું ઉપયોગત્વ ગ્રંથો ગાઈ રહ્યા છે, “સદા સ્વ-ઉપયોગી તે આત્મા” એવું દિવ્યધ્વનિમાં આવેલ છે. ગ્રંથો પણ એ જ ગાઈ રહ્યા છે. સંતોના ઉપદેશમાં આ વાત આવી છે. આથી બીજું સ્વરૂપ શાસ્ત્રો કહેતાં નથી. આથી વિરુદ્ધ કહે તે ગુરુ અને શાસ્ત્ર સાચા નથી. “દયા-દાનાદિથી તારું કલ્યાણ થશે, તેમ કહેનારા ખોટા છે.
પ્રથમ વસ્તુસ્વરૂપ શું છે તે જેના શ્રવણમાં ન આવે તેને ગ્રહણ ન થાય, ગ્રહણ વિના ધારણા ન હોય ને ધારણા વિના આત્માની રુચિ થાય નહિ. જે શાસ્ત્રો એમ કહે કે તારા જ્ઞાનસ્વભાવને અંદર પકડ તો ધર્મ થાય તે સાચા છે; આથી વિરુદ્ધ કહે તે શાસ્ત્ર સાચાં નથી. સમ્યગ્દર્શન થતાં ને થયા પછી ધર્મી જીવ માને છે કે મારો સ્વભાવ જ્ઞાતાદષ્ટા છે, બહારના સંયોગો લાવું કે મૂકું તે મારા હાથની વાત નથી ને રાગ થયો માટે જાણ્યું એમ પણ નથી; સ્વ-પરપ્રકાશક જ્ઞાન પ્રગટ થતાં રાગને જાણું છું, મારો સ્વભાવ દેખવું-જાણવું છે, એ જ મારૂં
સ્વરૂપ છે. વચમાં વિકાર ઊઠે તે મારું સ્વરૂપ નથી. ધર્મી આવા વિચારની ક્રિયા સ્વભાવસમ્મુખ રહીને કરે છે. પર ચીજને લાવવી કે મૂકવી તે મારા અધિકારની વાત નથી, તેમ જ મારા જ્ઞાન કે રાગને લીધે તે ચીજો આવે કે જાય એવો તે ચીજોનો સ્વભાવ નથી. વર્તમાન પર્યાયમાં થતા રાગદ્વેષનો પણ વ્યવહારે જ્ઞાતા છું, નિશ્ચયથી મારા સ્વરૂપનો જ્ઞાતાદષ્ટા છું-આમ નિશ્ચય કરતાં આનંદ વધે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com