________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૭]
[૩૫ હોય તો તે નિમિત્તનું કથન છે. આવું બતાવનારા ગુરુ અને શાસ્ત્ર એમ જ કહે છે ને સર્વજ્ઞની વાણીમાં એમ જ આવેલ છે.
પોતે ત્રિકાળી શક્તિવાન છે, ગુણ ત્રિકાળી શક્તિ ને પર્યાયવર્તમાન દશા–આમ દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર વડે નિજપદ જાણે. નિમિત્ત વડે કે રાગ વડે જાણે એમ કહ્યું નથી. એમ નિજપદ જાણવાની વિધિ બતાવેલ છે અથવા ઉપયોગમાં જાણરૂપ વસ્તુને જાણે, અંતરમાં જાણવા–દેખવાનો વ્યાપાર થાય તે દ્વારા વસ્તુને જાણે. નિજસ્વરૂપને જાણવાની આ કળા છે. આનું નામ ધર્મ છે. ચાલતી પર્યાયમાં જાણરૂપ વસ્તુને જાણે. જાણનાર સ્વભાવ નિત્યાનંદ પદાર્થ છે. પર્યાયનો આધાર અથવા નાથ આત્મા છે. નવી નવી પર્યાય થાય તેનો સંચાલક આત્મા છે એમ જાણે.
જાણે? હવે વિસ્તારથી કહે છે. મારું સ્વરૂપ અનંત મહિમાના ભંડારરૂપ છે. મુનિઓએ, સંતોએ ને શાસ્ત્રોએ મારો મહિમા ગાયો છે. અનંત જ્ઞાન-દર્શન-વીર્ય-ચારિત્ર દશા પ્રગટે તેવો મારો આત્મા છે.
વળી આત્મા સારરૂપ છે, જાણક સ્વભાવ અનંત ગુણોના ભંડારરૂપ છે –એમ તે તરફનો ભાવ કરે તેને અનુભવ થાય. શરીર, મન, વાણી મારી ચીજ નથી, મારું સ્વરૂપ અવિકારી છે, પુણ્ય-પાપની લાગણી પર્યાયમાં થાય છે તે અંતરસ્વરૂપમાં નથી. એમ સમ્યક વિચાર કરવો તે અનુભવદશાનું કારણ છે.
વળી સ્વભાવ અપાર છે. અનંતી શક્તિની અનંત પર્યાયો વહે તોપણ શક્તિઓ ખૂટતી નથી. તેવી શક્તિઓથી આત્મા શોભિત છે. એવો ભાવ જ્ઞાનાનંદ સ્વરૂપની પ્રતીતિમાં કરે.
આ સ્વરૂપની રીત છે. આ મોક્ષના પંથની રીત છે. અહો ! અનંતા ગુણોના ભંડારરૂપ, અવિકારરૂપ અપાર શક્તિથી ભરપૂર માસ સ્વરૂપ છે-એમ વિચારે; રાગદ્વેષથી જરા ચલપણું થાય છે, તેનું મટવું અચલ સ્વભાવના આશ્રયે થાય છે, બહિર્મુખ રાગ દ્વારા આત્માનો અનુભવ થતો નથી. ધ્યાન ધર્યો નિશ્ચલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com