________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માગશર વદ ૧૨, શનિ ૧૩-૧૨-૫૨
પ્ર. - ૭
ધર્મની નિશ્ચય ક્રિયાને અનુભવપ્રકાશ કહે છે. આત્મા કઈ રીતે જણાય તેનો ઉત્તર આપે છે. અનંતકાળથી આત્માનો અનુભવ નથી, પણ રાગદ્વેષનો અનુભવ છે. રાગદ્વેષનો અનુભવ તે સંસાર છે ને નિત્યાનંદસ્વરૂપ આત્માનો અનુભવ તે મોક્ષદશા છે.
પોતાને સ્વરૂપજ્ઞાન અને અનાકુળ શાંતિનું વેદન કઈ રીતે થાય તે બતાવે છે. તેની વિધિ જાણવી જોઈએ ને તેમ કરનારને સાચા દેવગુરુ-શાસ્ત્રનું જ્ઞાન પ્રથમ હોવું જોઈએ.
આત્મા પોતાની સત્તાની સંભાળ કરતાં પર પદાર્થો તે જ હું છું એવી મિથ્યાભ્રાંતિનો નાશ કરે. રાગ-દોષાદિ છે તે નિમિત્તના લક્ષે થતા ઉપાધિભાવ છે. સ્વભાવની પ્રતીતિ કરી મિથ્યાભ્રાંતિનો નાશ કરે, પછી સ્વરૂપમાં લીનતા વધતાં વધતાં રાગનો ક્રમે કરી નાશ થાય, બન્નેનો કાળ એક જ છે, પણ ક્રમથી સમજાવે છે.
આત્મા જાણનાર-દેખનાર છે, તેમાં પર પ્રવેશનો અભાવ થતાં સ્વસંવેદન થાય. પર પ્રવેશ અર્થાત્ રાગાદિનો અભાવ એમ કહ્યું તે નાસ્તિથી કહ્યું, નિત્યાનંદ ધ્રુવ સ્વભાવમાં પુણ્ય-પાપની લાગણીનો પ્રવેશ નથી. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે તેવી અંતર્મુખ એકાગ્રતા કરતાં આનંદ પ્રગટ થાય છે.
તીર્થકર ભગવાન તથા ગુરુ આ કહેવા માગે છે. ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. વીતરાગતા કેમ થાય? સ્વસંવેદનથી વીતરાગતા થાય, આ સિવાય બીજી વિધિ કહી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com