________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૬]
[૪૦૭ વળી યશોવિજયજી દિગમ્બરની ટીકા કરતાં કહે છે કે“તાતે સો મિથ્યામતી જૈનક્રિયા પરિહાર,
વ્યવહારી સો સમકિતી કહૈ ભાષ્ય વ્યવહાર.” દિગમ્બરને તેઓ મિથ્યાષ્ટિ કહે છે. “તમો રાગથી ધર્મ માનતા નથી માટે શુભ રાગને તમો ઉડાડો છો” એમ શ્વેતાંબર મતવાળા દલીલ કરે છે, પણ તે વાત ખોટી છે. આત્મા શુદ્ધ ચૈતન્ય છે, એવી દષ્ટિ થયા પછી જે શુભ રાગ આવે છે તેને વ્યવહાર કહે છે, અથવા પૂર્વના શુભ રાગનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે, માટે ભૂતનૈગમનયથી તેને વ્યવહાર કહે છે. સાંભળવાના રાગથી લાભ નથી ને જે સંભળાવે છે તેને પણ રાગથી લાભ નથી, પણ રાગરહિત શુદ્ધ ચૈતન્યની દષ્ટિ કરે તો સમ્યગ્દર્શન પ્રગટે છે.
વર્તમાનમાં જે દિગમ્બરો વ્યવહાર પ્રથમ જોઈએ એમ કહે છે ને વ્યવહારથી નિશ્ચય પ્રગટશે એમ માને છે તે પણ શ્વેતામ્બર માફક મિથ્યાષ્ટિ છે. વળી તે કહે છે કે “તમોએ રાગરૂપ ક્રિયાને છોડી દીધી કેમકે તમોએ રાગથી લાભ માન્યો નહિ.” વળી કહે છે કે -
વ્યવહારી સો સમકિતી કહે ભાષ્ય વ્યવહાર.” “જે વ્યવહારી છે તે સમકિતી છે” – એમ યશોવિજયજી કહે છે, પણ તે વાત ખોટી છે. હું જ્ઞાનાનંદ છું-એવું ભાન થયા પછી લીનતા કરે તેની મુક્તિ થાય છે. શ્રી કુંદકુંદ આચાર્ય કહે છે કેઃ “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.” ભૂતાર્થ-નિશ્ચયનો આશ્રય કરવાથી જ સમ્યકત્વ-જ્ઞાનચારિત્રરૂપ ધર્મ પ્રગટે છે, ટકે છે, વધે છે અને પૂર્ણ થાય છે.
શુદ્ધ ચિદાનંદ સ્વભાવના આશ્રયે મુનિવરો નિર્વાણની પ્રાપ્તિ કરે છે. વળી વર્તમાનમાં અજ્ઞાની કહે છે કે સારાં ખાન-પાનની અસર આત્મા ઉપર પડે છે ને શુભ રાગ થાય છે તેથી ધર્મ પ્રગટે છે; પણ તે બને વાત ખોટી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com