________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૪]
[ શ્રી અનુભવ પ્રકાશ કટકા થયા તેવું કથન નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે પણ હાથથી ટુકડા થયા એવો અર્થ નથી.
જીવમાં વૈષ થયો માટે શત્રુનો નાશ કરી શકે અથવા રાગ થયો માટે ખોરાક લઈ શકે એમ બનતું નથી. પરનું અભિમાન છોડવું તે મોક્ષનું મૂળ છે. “વંસ મૂન વો” વીતરાગી ચારિત્રરૂપી ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. પરની ક્રિયાથી કે રાગથી ધર્મ માને તે મિથ્યાદષ્ટિ છે. એક સમયની પર્યાય વ્યક્ત છે ને શક્તિ અવ્યક્ત છે. શક્તિવાનની શ્રદ્ધા કરવી તે રાગદ્વેષ છૂટવાનું તથા વીતરાગતા થવાનું મૂળ છે.
“દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ થાય છે.” દર્શન એટલે ભગવાનના દર્શનથી નહિ પણ પોતાના આત્માના દર્શનથી આત્માની સિદ્ધિ છે.
વળી કહે છે કે શરીર-વાસનાના ત્યાગી થવું, શરીરના કર્તાપણાની વાસના છોડવી. હું છું તો શરીર ચાલે છે એવી મિથ્યાત્વની ગંધ છોડવી. સ્વભાવની ભાવના કરતાં શરીરની વાસના છૂટી જાય છે. શરીરની વાસના છોડવી પડતી નથી. પોતાના સ્વરૂપનો અનુભવ થતાં શરીર-વાસના છૂટી જાય છે. અજ્ઞાની માને છે કે શરીર, મન, વાણી, કર્મ તે જ હું છું. જેનાથી લાભ માન્યો તે પદાર્થ પોતાના માન્યા વિના રહે નહિ. શરીર, મન, વાણી ચૈતન્યની શક્તિથી શૂન્ય છે. રાગદ્વેષમાં ચૈતન્યની વસ્તી નથી, છતાં ઉજ્જડને વસ્તી માને છે. શરીર, મન, વાણી તથા પુણ્ય-પાપથી લાભ માન્યો તે ઉજજડને વસ્તી માને છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણો ચેતન-વસ્તી છે. પરમાત્મપુરાણમાં આ વાત આવે છે. પોતાની અવ્યક્ત શક્તિ ખ્યાલમાં આવતી નથી, કેવળજ્ઞાન પ્રગટ કરે તેવી તાકાતનો ભરોસો આવતો નથી. તેથી ચેતન-વસ્તીને ઉજ્જડ માને છે.
માટે અચેતનને અચેતન માની, અચેતનનો અહંકાર છોડી પોતે ચૈતન્યસ્વરૂપ છે એવાં શ્રદ્ધા-પાન કરવાં તે ધર્મ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com