________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૩].
[૩૮૯ નિમિત્તની પ્રીતિ છૂટી જાય છે. પુણ્યની પ્રીતિવાળાને ધ્રુવસ્વભાવની પ્રીતિ નથી. આમ યથાર્થ જાણી શ્રીગુરુની વચનપ્રતીતિથી પાર થવું.
ધર્મી જીવને ભાન થયું એટલે રાગની દિશા બદલે છે. પ્રથમ નિશ્ચય સ્થાપીને હવે વ્યવહારની વાત કરે છે. ચોથે, પાંચમ, છઠે ગુણસ્થાને રાગ આવે છે પણ દિશા બદલે છે. પ્રથમ કમાવા વગેરેનો તીવ્ર અશુભ ભાવ થતો હતો, મિત્ર પુત્ર, ભાર્યા, ધન, શરીર વગેરે પર તરફ તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ વલણ હતું. દીકરાનાં લગ્નમાં, મકાનાદિ બનાવવામાં, મિત્રના જલસામાં રાગ હતો તે પાપરાગ હતો, તેની બદલીમાં હવે પોતાના સ્વભાવ પ્રત્યે રુચિ કરે, વિષયોમાં અનુરાગ કરતો તેની રુચિ બદલાવી પોતાના સ્વભાવમાં પ્રીતિ કરે, પંચ પરમગુરુમાં રાગ કરે તે બધો શુભરાગ છે. અંતરદૃષ્ટિમાં શુભરાગને પણ જ્ઞાની હેય માને છે. સ્વભાવમાં લીનતા ન હોય ત્યારે રાગ આવે છે; તે વખતે અશુભ રાગ ઘટીને શુભરાગ આવે છે. અહીં “શુભરાગ કરે” એમ કહ્યું છે તે નિમિત્તનું કથન છે. સાધક જીવને શુભ રાગ આવે છે, પણ તેને તે મુક્તિનું કારણ માનતો નથી. સ્વભાવની શ્રદ્ધા ને લીનતાથી મુક્તિ થાય છે.
અજ્ઞાનીને પાંચ ગુરુ પ્રત્યે ખરેખર પ્રીતિ નથી. ગુરુ એમ કહે છે કે સ્વાશ્રય વડે અંતસ્વભાવની દઢતા કરો પણ અજ્ઞાની તેમ કરતો નથી. ગુરુ કહે છે કે અમે આત્માનો અનુભવ કરતાં કરતાં ગુરુ થયા છીએ-એમ ગુરુના કહેવા મુજબ પોતાના આત્માની શ્રદ્ધા કરે છે તેવા ધર્મીને ગુરુ પ્રત્યે બહુમાન ને રાગ છે, પણ અજ્ઞાનીને ગુરુ પ્રત્યે ખરેખર રાગ છે જ નહિ. જ્ઞાનીને મોક્ષ અતિ સુગમ
થાય.
જેમ સંધ્યાની લાલાશ સૂર્ય અસ્તતાનું કારણ છે તથા પ્રભાતની લાલાશ સૂર્ય ઊગવાની તૈયારી બતાવે છે, તેમ અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે મુનિ-એ પાંચ ગુરુ પ્રત્યે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com