________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૫, બુધ ૪-૨-૫૩ પ્ર. -૬૦
આત્મશાંતિ કે આત્માના ધર્મને અનુભવપ્રકાશ અથવા તો મોક્ષમાર્ગ કહે છે. તે અનુભવપ્રકાશ કેમ પ્રગટ થાય ? તે કહે છે.
આ સમાધિની વાત છે. જ્યાં ઇંદ્રિયવિકારબળ વિલય થયું છે– મનવિકાર નથી ત્યાં સમાધિ છે. આત્મામાં કર્મ અને શરીરનું બળ જ નથી કેમકે આત્મા પરથી નિવૃત્તસ્વરૂપ છે. નિમિત્તથી નિવૃત્તસ્વરૂપ છે એમ જેને નક્કી કર્યું નથી તે વિકારથી નિવૃત્ત થઈ શકતો નથી, માટે પ્રથમ નક્કી કરવું જોઈએ કે ઇંદ્રિય આદિ પરિનિમત્તનું મારામાં જોર નથી, તેથી ઇંદ્રિયવિકારનો વિલય થાય છે. ઇંદ્રિયવિકાર એટલે અશુભભાવ જે ઇંદ્રિયના નિમિત્તે થાય છે એટલો જ ઇંદ્રિયવિકારનો અર્થ નથી પણ ભગવાનનાં દર્શન કરવાં, શ્રવણ આદિ કરવું તે બધો ઇન્દ્રિયનો વિકાર છે. પરથી-નિમિત્તથી લાભ માન્યો તેને ઇન્દ્રિયવિકાર વિલય થતો નથી.
નિમિત્તથી લાભ-નુકશાન થાય છે એમ માન્યું તેને નિમિત્તનો પક્ષ છૂટયો જ નથી એટલે નિમિત્તનો પરિગ્રહ છૂટયો નથી અને જેણે વિકારનું બળ છે એમ માન્યું તેણે આત્મામાં વિકારનો નાશ કરવાનું સામર્થ્ય છે એમ માન્યું નથી.
અહીં સમાધિ અધિકાર છે. તો તે સમાધિ કોને થાય છે? કે જેને નિમિત્તની રુચિ છૂટી અને ઇંદ્રિયના નિમિત્તે થતો વિકારભાવ એની પણ રુચિ જેને છૂટી હોય અને આત્માની યથાર્થ રુચિ થઈ હોય. આત્મા ચિદાનંદ ત્રિકાળ શુદ્ધ છે, એના આશ્રયે જ ધર્મ થાય છે. એવી દૃષ્ટિપૂર્વક અંતર્લીનતા થઈ તેને અહીં સમાધિ કહી છે. નિમિત્તનું બળ જેને છૂટયું નથી એને વિકારનું બળ ત્રણકાળમાં છૂટતું નથી. આત્મામાં શુભાશુભ પરિણામ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com