________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮]
શ્રી અનુભવ પ્રકાશ લોકો વાતો કરે છે કે ગિરનારની ગુફામાં ઘણા જોગી અમર થયા છે, મરતા નથી; તે બધી કલ્પનાઓ છે. એમ કોઈ અમર થતાં નથી. અમરફળ ખાવાથી અમર થાય-એમ પણ નથી. સમાધિથી અમર થવાય છે.
“ અબ હમ અમર ભયે, ન મરેંગે ” આત્માનો વિચાર અનાદિ ભવભાવનાનો નાશ કરે છે. નિજદ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારથી પરનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને ન્યારી જાણી દર્શન-જ્ઞાન વાનગીને પિછાણી, ચેતનમાં મગ્ન થવાથી, સિદ્ધદશાની શાંતિની વાનગી મળે છે. જેમ અનાજનો નમૂનો આપે એવો બધો માલ હોય છે, તેમ આત્મામાં જ્ઞાન-દર્શન ભરેલ છે, એની એક સમયની પર્યાયમાં નમૂનો-વાનગી છે, એને જોઈને આખો આત્મા એવો છે એમ નક્કી કરે છે.
હજુ જેને નિમિત્તથી ભેદજ્ઞાન કરતાં આવડતું નથી એને રાગથી ભેદજ્ઞાન થતું નથી. આત્માના લક્ષણ દ્વારા આત્માને પરથી જુદો જાણે તો તે વડે સારરૂપ પદને પામે અને સમાધિ થાય અને જેનો અપાર મહિમા છે. એવું પરમ પદ પામે.
અનાદિથી પર ઇંદ્રિયજનિત આનંદ માનતો હતો તે મટયો, આત્માના અતીન્દ્રિય સુખનું ભાન થતાં આકુળતારૂપ દુઃખનો નાશ થયો, જ્ઞાનાનંદમાં સમાધિ થઈ, વસ્તુને વેદી આનંદ થયો, ગુણને વેદી આનંદ થયો, પરિણતિ વિશ્રામસ્વરૂપમાં લીન થઈ ત્યારે આનંદ થયો. એકદેશ સ્વરૂપાનંદ આવો છે. આ સાધકની વાત છે. એકદેશ સ્વભાવનો આનંદ આવો છે, એટલે આ ચોથા ગુણસ્થાનની વાત છે, અહીં કેવળીની વાત નથી. કેવળી–પૂર્ણ દશા તો સર્વથા રાગાદિનો નાશ થતાં થાય છે, ત્યાં પૂર્ણાનંદ દશા હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com