SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬] [શ્રી અનુભવ પ્રકાશ આત્મામાં પરને લીધે વિલક્ષણતા થતી નથી. અત્યારના કોઈ પંડિત પરને લીધે વિલક્ષણતા થાય એમ કહે છે. જેમકે – સ્મશાનમાં એકલો માણસ જાય તો બીક લાગે ને બે માણસ સાથે જાય તો ઓછો ડર લાગે ને હાથમાં હથિયાર લઈને જાય તો એથી પણ ઓછો ડર લાગે; જાઓ, નિમિત્તનો પ્રભાવ ! –એમ અજ્ઞાની જીવ કહે છે. આમ સંયોગને અનુકૂળ-પ્રતિકૂળ માનનારા સંયોગમાં એકતાબુદ્ધિ દ્વારા ઊંધી પ્રરૂપણા કરે છે. ત્યાં સંયોગાનુસાર ડર નથી પણ પોતાની યોગ્યતા મુજબ ડર લાગે છે, નિમિત્તને લીધે ફેર પડતો નથી. મડદા પાસે અથવા સ્મશાનમાં કીડી વગર જીવો છે તેને ડર લાગતો નથી. માટે નિમિત્તનો પ્રભાવ ઉપાદાન ઉપર જરાપણ નથી. દરેક જીવને ભય થાય છે તે પોતાના કારણે થાય છે, પરને લીધે નહિ. સંજ્ઞી જીવને જ્ઞાન વધારે છે માટે ભય છે? ના, તે ભય પોતાને કારણે છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પોતામાં છે. નિશ્ચયે વસ્તુ પોતામાં જ છે, માટે પોતાની વસ્તુની શ્રદ્ધા કરો. પર્યાયમાં સ્વતંત્ર, ગુણમાં સ્વતંત્ર ને દ્રવ્યમાં સ્વતંત્ર છે. કોઈની સ્વતંત્રતા કોઈ લૂંટતું નથી. આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો પિંડ છે. પોતાનો સ્વભાવ ક્યાંય ગયો નથી-એમ વિચારે તો શાંતિ પામે. મોક્ષમાર્ગરૂપ ઉપાયથી મોક્ષરૂપી ઉપય પામે. ઉપય શું? આત્માની પૂર્ણ દશા થાય તે ઉપય છે. સંસારઅવસ્થા વિષે જડકર્મ ને શરીરમાં આત્મા ગુપ્ત છે ને પરની ભાવનાથી દુ:ખ પામ્યો. સ્વભાવને ચૂકવાથી પોતાના જ્ઞાયકસ્વભાવને એટલે પરમેશ્વરપદને ન પામ્યો. તેનો ઉપાય હોય તો ઉપયને પામીએ. મોક્ષનો અથવા પરમેશ્વરપદ પ્રગટ કરવાનો ઉપાય કહે છે. પરમાં જે ઉપયોગ વાળ્યો છે તે સ્વમાં વાળવો. અહીં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરે તેને સ્વ-તરફ ઉપયોગ વાળ્યો કહેવાય છે. પોતાની ભૂલ થઈ છે તે પોતાથી સુધરે. શુદ્ધ ઉપયોગ એક જ ઉપાય છે; બાકી વ્રત, તપ, સંયમાદિ કરે તે શુભભાવ પુણ્યનો ઉપાય છે, તે મોક્ષનો ઉપાય નથી પણ બંધનો ઉપાય છે. પરથી એટલે નિમિત્તથી ને સંયોગથી ઉપયોગ ખસ્યો એટલે સ્વ-તરફના Please inform us of any errors on [email protected]
SR No.008208
Book TitleAnubhav Prakasha Pravachan
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal, Kanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy