________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨]
[ શ્રી અનુભવ પ્રકાશ દશાને મિશ્રદશા કહે છે. જે પર્યાય જેમ છે તેમ જાણે, પર્યાય ઓછી ઊઘડી હોય તેને વધારે ઊઘડેલી માનવી નહિ ને વધારે ઊઘડી નથી માટે ખેદ કરવાની જરૂર નથી.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૫૫ માં કહ્યું છે કે “વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું તેનું શ્રદ્ધાન કરવું.”
પ્રશ્ન:- જો એમ છે તો જિનમાર્ગમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનું શું કારણ?
ઉત્તર- જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું, અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે, પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે,” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
બધા જીવોને પરમાત્મા સમાન શક્તિએ કહ્યા છે. નિગોદની પર્યાયમાં પરમાત્મદશા પ્રગટ નથી, ત્યાં પર્યાય ઘણી હીણી છે. તલમાં જેમ તેલ શક્તિરૂપે છે, પ્રગટ નથી. તેલ પ્રગટ કરે ત્યારે થાય છે. તલમાં તેલ માની પુરી તળવા માગે તો તલ ને લોટ બન્ને બગડે. આત્મામાં પરમાત્મા શક્તિસ્વરૂપે છે તેમ ન માનતાં પર્યાયમાં પણ પરમાત્મા માની લ્ય તો ચાર ગતિમાં રખડે. આત્માની પ્રતીતિ ને લીનતા કરી પરમાત્મદશા ન થાય ત્યાં સુધી પરમાત્મપણું પર્યાયમાં માનવું જોઈએ નહિ, છતાં શક્તિરૂપે પરમાત્મા છે એમ ન માને તો પર્યાયમાં પરમાત્મા ન થાય. શક્તિએ કેવળજ્ઞાનરૂપ છું ને પર્યાયે પામર છું એમ જાણવું જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com