________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૪]
[૩૪૧ મિશ્રધારામાં બે પ્રકાર વર્તે છે. જેટલી શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતા કરી તે નિશ્ચય છે છતાં જેટલો રાગ વર્તે છે ને જ્ઞાનદર્શનની હીનતા વર્તે છે, જ્ઞાન અનંતમા ભાગે, દર્શન અનંતમા ભાગે, આનંદ અનંતમાં ભાગે વર્તે છે-એમ ધર્મી જાણે છે તે વ્યવહાર છે.
અજ્ઞાની માને છે કે બહારના પદાર્થોને છોડવા તે વ્યવહાર છે. તે મૂઢ છે. બહારના પદાર્થોને આત્મા છોડી શકતો નથી. પરપદાર્થથી આત્મા જાદો છે ને રાગ-દ્વેષ આત્માનું સ્વરૂપ નથી. એવું ભાન કર્યા પછી રાગાદિ પરિણામ રહે તેનું જ્ઞાન કરવું જોઈએ.
પર્યાયમાં ચારિત્ર ન હોવા છતાં ચારિત્ર માની લેવું તે ભૂલ છે. સ્વભાવના અવલંબને શાંતિ વધે ને રાગ ઘટી જાય ત્યારે ચારિત્ર થાય છે. એકલા ૨૮ મૂળગુણના વિકલ્પને વ્યવહાર કહેતા નથી. આત્માના ભાનવાળાને વ્યવહાર હોય છે.
જડની પર્યાય આવી જ હોય એવો જ્ઞાનીને આગ્રહ નથી, રાગનો પણ આગ્રહ્યું નથી. જે પ્રકારનો રાગ આવે તેને જ્ઞાન જાણે છે. હું શુદ્ધ ચૈતન્ય પૂર્ણાનંદ છું, અસંખ્યપ્રદેશી છું, શરીરપ્રમાણ ક્ષેત્ર પરિમિત છે છતાં સ્વભાવ અપરિમિત છે. એવા સ્વભાવનું ભાન કરી સ્વરૂપ ઠીક કર્યું, આમ શ્રદ્ધા ઠીક કરવા છતાં રાગાદિ પરિણામ વર્તે છે ને કેવળજ્ઞાન પૂર્ણ નથી એમ જાણવું જોઈએ. જે રાગ ઊઠે છે તે ભૂમિકા અનુસાર ઊઠે છે, તે સ્વકાળ છે. કાળક્રમે તે પરિણામ થાય છે તેને જાણવા તે વ્યવહાર છે, તે આદરણીય નથી. અખંડ સ્વભાવને જાણવો તે નિશ્ચય છે-આમ બન્નેનું જ્ઞાન કરવું તે પ્રમાણ છે.
શ્રી અમૃતચંદ્રાચાર્ય શ્રી સમયસારની ટીકામાં સ્પષ્ટ કરેલ છે કે વ્યવહારનય જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. ચોથાવાળાને દર્શનનો ક્ષયોપશમભાવ વર્તતો હોય તો ક્ષયોપશમ જાણવો ને ક્ષાયિકભાવ વર્તતો હોય તો ક્ષયિકભાવ જાણવો. જેમ છે તેમ જાણવું.
આત્માનું ભાન થવા છતાં રાગ ને અલ્પજ્ઞતા છે, તેથી તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com