________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૪]
[ ૩૩૯
થયા વિના રહેતા નથી. રાગ ને અલ્પજ્ઞતા છે ત્યાંસુધી કાર્ય અધૂરું છે. અંતરમાં સ્થિરતા થઈને જ્ઞાન થયું તેટલી જ્ઞાનધારા છે. આત્મા અનંતાગુણના સામર્થ્યથી ભરેલો છે, એવી પ્રતીતિ થઈ તે મુક્તિનું કારણ છે, પણ જે રાગાદિ પરિણામ થાય છે તે મુક્તિનું કારણ નથી. જ્ઞાન જ્ઞાનમાં પૂર્ણપણે સ્થિર થયું નથી ને રાગાદિ મલિન પરિણામમાં રોકાયું છે ત્યાં મલિનતા બંધનું કારણ છે. હું ચૈતન્યસ્વરૂપ છું-એવી પ્રતીતિ ને જ્ઞાન મુક્તિનું કારણ છે. તે ભવબાધા મટાડવાનું કારણ છે. ભવબાધા મટાડવાનું સામર્થ્ય આત્માની યથાર્થ પ્રતીતિમાં છે. આત્મા પરમાત્મા છે એવી પ્રતીતિનું થવું તે મુક્તિનું કારણ છે. વચમાં જે દયાદાનાદિની વૃત્તિઓ આવે તે મિલનભાવ છે. તેને ટાળવાનું સામર્થ્ય શ્રદ્ધામાં છે.
પોતે પરમાત્મા ન થાય ત્યાંસુધી અલ્પજ્ઞતા ને રાગ-દ્વેષ વર્તે છે, ત્યાંસુધી કર્મધારા છે. આત્માનું ભાન હોવ છતાં રાગાદિ
પરિણામ ને અલ્પજ્ઞતા ટાળવાની તાકાત મિશ્રધારામાં નથી. ત્યાં કોઈ કર્મનું કારણ નથી. રાગદ્વેષ ને અલ્પજ્ઞતા કર્મધારા છે. ધર્મી જીવની ધર્મદશા શુદ્ધ ચિદાનંદની પ્રતીતિમાં વર્તે છે. પર્યાયમાં પૂર્ણ નિર્મળતા થઈ નથી, અનિર્મળતા વર્તે છે, તેને અંતરાત્મા હજી ટાળી શકતો નથી. પુરુષાર્થ નબળો છે, જો પુરુષાર્થ વધી જાય તો વીતરાગતા ને સર્વજ્ઞતા પ્રગટયા વિના રહે નહિ. સાધક જીવે પ્રતીતિ તો ઠીક કરી છે. મારી ચીજ ચૈતન્યજ્યોત છે, બીજી નથી-આમ ધર્મીએ નક્કી કરેલ છે. અંદરમાં રાગાદિ પરિણામ થાય તે અપરાધ છે પણ ત્રિકાળી સ્વરૂપ નથી.
ધર્મી જીવે પ્રતીતિમાં સ્વરૂપ ઠીક કર્યું છે પણ હજી રાગ બાકી છે. પર્યાયમાં રાગ બાકી જ નથી અથવા અલ્પજ્ઞતા નથી જ એમ ખોટું જ્ઞાન કરે તો વ્યવહારનું ખોટું કર્યું કહેવાય, તો તે મિથ્યાષ્ટિ થઈ જાય છે. રાગ અને અલ્પજ્ઞતા બાકી રહે છે તેને આદરણીય માને ને તેનાથી નિશ્ચય પ્રગટશે એમ માને તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com