________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૫૦]
[૩૧૩ સુદેવાદિ કે કુદેવાદિ બને જ્ઞય છે. જ્ઞાની તેને જાણે છે. આ આદરણીય છે કે આ આદરણીય નથી-એમ જ્ઞાનમાં ભેદ નથી, તેમ જ
યમાં ભેદ નથી. ધર્માજીવ જેમ છે તેમ જાણે છે. આ ગેય ઊંચું છે માટે રાગ થાય એમ નથી. તે સમયનો જે રાગ ઝરાગ છે તેને પણ જ્ઞાન જાણે છે. જ્ઞાન જાણે છે કે રાગ થાય છે. આમ જ્ઞાનનો વિવેક રહેવો તે ધર્મ છે. ગુણ-ગુણીની એકતા થવી તે ધર્મ છે.
વસ્તુ છે તે સ્વભાવવાન છે. તેને સ્વભાવ અથવા ગુણો હોય છે ને તેના વર્તમાન અંશને પર્યાય કહે છે. તેને જ્ઞાન જાણે છે. આ આદરણીય છે કે આ છોડવા લાયક છે-એમ જ્ઞાનમાં નથી. શયનો જણાવાનો સ્વભાવ છે, પણ બીજાને રાગ-દ્વેષ કરાવવાનો સ્વભાવ નથી. વળી જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે, પણ રાગદ્વેષ કરવાનો જ્ઞાનનો સ્વભાવ નથી. સાધક જ્ઞાનીને રાગ પોતાની નબળાઈથી આવે છે, પણ રાગ આદરણીય છે એમ જ્ઞાન જાણતું નથી, પણ રાગ છે એમ જ્ઞાન જાણે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન છે. જાણવું એ જ ધર્મ છે.
કોઈ પૂછે કે અનાયતનને છોડવાં વગેરે વાત શાસ્ત્રમાં આવે છે ને?
સમાધાન - હું જ્ઞાનસ્વરૂપ છું એમ જ્ઞાન જાણે છે. જે પ્રકારનો રાગ આવે તેને પણ જ્ઞાન જાણે છે. સમયસારની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે પ્રમત્ત-અપ્રમત્ત દશા મારું સ્વરૂપ નથી, જાણવું તે જ્ઞાયકનો સ્વભાવ
પ્રમત્તભાવ આવે છે તે જ્ઞાનનું શય છે; એમ કહેવું તે પણ વ્યવહાર છે. પોતે પોતાને જાણે છે તે નિશ્ચય છે. પ્રમત્ત અને અપ્રમત્તની પર્યાય છે માટે જ્ઞાન છે એમ નથી. જો એમ હોય તો તેની સાથે જ્ઞાન તન્મય થઈ જાય. પ્રમત્ત-અપ્રમત્ત દશા જણાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com