________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૧૦, શનિ ૨૪-૧-૫૩
પ્ર. -૪૯
આ શેય અધિકાર છે. શેયોના સ્વરૂપનું વર્ણન ચાલે છે.
આત્મામાં અને બધાં દ્રવ્યોમાં કર્તવ્ય નામનો ગુણ છે એટલે દરેક દ્રવ્ય પોતપોતાના કાર્યને કરે એવો તેનો સ્વભાવ છે, તે જ્ઞાનનું શેય છે. પર દ્રવ્યને છોડે કે લ્ય–તેવો ગુણ આત્મામાં નથી. ચરણાનુયોગમાં નિમિત્તથી કથન આવે, પણ તેથી કાંઈ ચરણાનુયોગમાં આત્મા પરનાં ગ્રહણ-ત્યાગ કરી શકે છે એમ કહ્યું નથી. આધાકર્મી આહાર હો કે ઉદ્દેશિક આહાર હો-તે આહારનું છૂટવું તે તો જડની ક્રિયા છે. તે વખતે મુનિને તે આહારના ત્યાગની વૃત્તિ ઊઠે, ત્યાં મુનિએ સદોષ આહાર છોડ્યો એમ ઉપચારથી કહેવાય છે, પણ જડનું કર્તવ્ય જડમાં છે ને આત્માનું કર્તવ્ય આત્મામાં જ છે. આહાર છૂટવો તે જડની ક્રિયા છે. તેને બદલે આહાર છોડવાની ક્રિયા મેં કરી એમ જે માને તેને મુનિપણું હોય નહિ ને સમ્યજ્ઞાન પણ ન હોય. મુનિને સદોષ આહારના ગ્રહણની વૃત્તિ જ ન આવે. વસ્તુસ્વરૂપ જેમ છે તેમ જાણવું તે સમ્યજ્ઞાન છે.
બે પદાર્થો જુદા છે તો તેનું કર્તવ્ય પણ જુદું છે. બે પદાર્થની એક ક્રિયા હોતી નથી ને એક પદાર્થની બે ક્રિયા હોતી નથી. “હું જ્ઞાયક છું” એ વાત અંતરમાં બેઠા પછી, અલ્પરાગ થાય તેને ધર્મી જાણે છે કે આટલું મારી પર્યાયનું કર્તવ્ય છે આરાગ થાય છે તે મારું પરિણમન છે, પરને કારણે રાગ થતો નથી. સર્વ દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે, જ્ઞાતા તેનો જાણનાર છે. સર્વ દ્રવ્યોને નિજ નિજ પરિણામનું કર્તવ્ય છે ને
પરનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com