________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૮, ગુરુ ૨૨-૧-૫૩ પ્ર. -૪૭
આત્માના આનંદનો અનુભવ કેમ પ્રગટે તેની આ વાત છે. જો દરેક વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેની સ્વતંત્રતા સ્વીકારે તો દ્રવ્યની દષ્ટિ કરીને, પર્યાયબુદ્ધિ છોડીને અનુભવ થાય. પર્યાય અવસ્થા ન હોય તો વસ્તુને પરિણમાવે કોણ ? કોઈ દ્રવ્યમાં બીજા દ્રવ્યને પલટાવવાની તાકાત નથી. દ્રવ્ય-ગુણ સત્ છે ને એકેક સમયની પર્યાય પણ સત્ છે. પર્યાય એકેક સમયની છે, માટે તેને સત્ ન કહેવાય-એમ નથી. દ્રવ્યગુણ-પર્યાય ત્રણે સત્ છે-એ વાત પ્રવચનસારમાં કરી છે. નિમિત્તથી પરિણમન થાય-એ વાત રહેતી નથી, કેમ વસ્તુમાં પર્યાય પણ સત્ છે, પર્યાયધર્મ વગર વસ્તુમાં ઉત્પાદવ્યય સિદ્ધ ન થાય. “ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્” એટલે નવી પર્યાયનો ઉત્પાદ, જૂની પર્યાયનો વ્યય અને વસ્તુપર્ણ ધ્રુવતા-એ ત્રણે થઈને સત્ છે. જો પર્યાય ન હોય તો ઉત્પાદ-વ્યય-ધ્રુવની સિદ્ધિ જ ન થાય અને એક સમયમાં પગુણાનિવૃદ્ધિ પણ ન થાય.
૧. અનંતગુણવૃદ્ધિ
૨. અસંખ્યગુણવૃદ્ધિ
૩. સંખ્યાતગુણવૃદ્ધિ
૪. સંખ્યાતભાગવૃદ્ધિ
૫. અસંખ્યાતભાગવૃદ્ધિ
૬. અનંતભાગવૃદ્ધિ
–એ પ્રમાણે પગુણવૃદ્ધિહાનિ પર્યાય વગર થઈ શકે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૧. અનંતગુણાનિ
૨. અસંખ્યગુણહાનિ
૩. સંખ્યાતગુણાનિ
૪. સંખ્યાતભાગહાનિ
૫. અસંખ્યાતભાગહાનિ
૬. અનંતભાગહાનિ