________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૭, બુધવાર ૨૧-૧-૫૩
પ્ર. -૪૬
શેય અધિકાર આ અનુભવપ્રકાશ છે. આત્માનો ત્રિકાળ જ્ઞાન-આનંદ સ્વભાવ છે. તે પરમાં અને વિકારમાં અટકીને પર્યાયમાં વિકારનો અનુભવ કરે છે તે તેનું વાસ્તવિક સ્વરૂપ નથી. ત્રિકાળી સ્વભાવની પ્રતીત અને ઓળખાણ કરીને આનંદનો અનુભવ કરવો તે ધર્મ અને મોક્ષમાર્ગ છે. આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપનો અનુભવ કોને થાય? –કે આત્મા જ્ઞાન છે, તે સ્વ-પરને જાણનાર છે ને આત્મા તેમ જ અનંતા પરપદાર્થો તે જ્ઞયો છે, પરપદાર્થો જ્ઞાનનું જ્ઞય છે ને આત્મા તેનો જ્ઞાતા છે. “જ્ઞાતું યોગ્ય ય” એટલે કે જણાવાયોગ્ય પદાર્થો તે શેય છે. એથી આગળ વધીને બીજો સંબંધ માને તો તે અજ્ઞાની છે. પર ચીજો જ્ઞાનમાં જણાય, પણ પર ચીજો આત્માને કાંઈ લાભનુકશાન કરે-એમ નથી અને આત્મા તે શેયોને જાણે, પણ તેને કાંઈ દૂર કે નજીક કરે એવું તેનું સ્વરૂપ નથી.
ય પદાર્થ કેવો છે? તેનું વિશેષ વર્ણન કરે છે. પદાર્થની ત્રણ અવસ્થા-દશા-પ્રકાર છે-દ્રવ્ય, ગુણ અને પર્યાય; આ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં બધા યપદાર્થો સમાઈ જાય છે તેના સિવાય ચોથી કોઈ ચીજ જગતમાં નથી. દ્રવ્ય કહ્યું તેમાં આત્મા પોતે પણ આવી જાય છે. આત્મા પોતે પણ ય છે. પોતાના તેમ જ પરના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે, પણ પરની અવસ્થાને કરે નહિ, ભોગવે નહિ, ગ્રહે નહિ, છોડ નહિ. ત્રિકાળી દ્રવ્યને, અનંત ગુણોને તેમજ પર્યાયને જ્ઞાન જાણે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com