________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૨, શનિ ૧૭-૧-૫૩
પ્ર. -૪૨
આ અનુભવપ્રકાશ છે. તેમાં પુદ્ગલનો ખેલ આત્માથી જુદો છે તેનું વર્ણન કરે છે. નર-નારક-તિર્યંચ અને દેવ એવી ચાર ગતિ તથા તેનો વૈભવ તે બધુંય પુદ્ગલ છે. જડ વૈભવનો ભોગવટો પણ આત્માને નથી, તે બધો પુદ્ગલનો અખાડો છે. ચૈતન્યને ચૂકીને અજ્ઞાની જીવ તેમાં રંજિત થાય છે ને તે પુદ્ગલની ક્રિયાને પોતાની માને છે તેથી જ તેને સંસાર છે. પોતાનો અનંત ગુણનો અખાડો છે–તેની વાત હવે કરે છે. અનંતગુણોરૂપી અખાડો છે ને તેમાં નાચનારા પાત્રોની જેમ અનંતગુણોની પરિણતિ છે. વિકાર અને શરીર તો પુદ્ગલના નાટકમાં જાય છે ને ગુણની નિર્મળ પરિણતિ તે ચૈતન્યના અખાડાના પાત્ર છે. તે સ્વરૂપનો રસ ઉપજાવે છે. તે અનંતા ગુણરૂપ દ્રવ્યનું વેદના થતાં બધા ભાવોનું વેદન આવી જાય છે. ચૈતન્યદ્રવ્યની સત્તા તે મૃદંગ એટલે કે તબલાં છે ને પ્રમેય તે તાલ છે–આ બધા આત્માનો અખાડો છે. આવા પોતાના અનંત ગુણરૂપ નિજ અખાડામાં ન રંજતાં પરનું મમત્વ કરીને જીવ જન્મ-મરણનું દુઃખ ભોગવે છે.
આત્મામાં પુદ્ગલથી ભિન્ન અને વિકારરહિત પોતાના અનંત ગુણોના સ્વાદનું વદન થવું તેનું નામ અનુભવ છે. પોતાની સત્તાનું વેદન કરતાં અનંત આનંદનું વેદના થાય છે. માટે કહે છે કે હે જીવ! તું તારા અનંતગુણના અખાડામાં રંજ. શરીરાદિની ક્રિયા તે જડ-પુદ્ગલનો અખાડો છે, તેમાં રંજિત ન થા. પુદ્ગલના અવલંબને થયેલો વિકાર પણ પુદ્ગલના અખાડામાં છે. તારો ભૂતાર્થસ્વભાવ તેનાથી જુદો છે. અનંત ગુણરૂપ તારો અખાડો છે. તેમાં દષ્ટિ કરીને આનંદનો અનુભવ કર. ચૈતન્યની સત્તાને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com