________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૯]
[૨૫૧ જે ભાવ થઈ રહ્યો છે તેને તે યથાર્થ જાણે છે. તેને અસ્થિરતા થાય છે. ચોથા ગુણસ્થાનવાળાને આર્ત-રૌદ્રધ્યાન કદાચ થાય છે, તેને અસ્થિરતાનો રાગ થાય છે, પણ પોતાનામાં રહીને જાણે છે, તેથી ઉપયોગની પ્રધાનતાથી તેને બંધ નથી એમ કહ્યું છે. યથાર્થપણે સાધતો હોવાથી રાગ હોવા છતાં બંધન નથી. અજ્ઞાની શુભરાગ કરે તોપણ જરાય બંધ અટકતો નથી, રાગરહિત ધ્રુવ સ્વભાવના ઉપયોગનું અભેદપણું તે જાણતો નથી. રાગને વિકારથી આત્મા નિર્લેપ છે-એવી દષ્ટિ હોવાને લીધે જ્ઞાનીએ બંધપરિણામને ખીલા મારી અટકાવી દીધા છે. જ્ઞાનના ઉપયોગ પરિણામે આસ્રવ-બંધની શક્તિને રોકી રાખી છે. અજ્ઞાનીને સ્વભાવની દષ્ટિ નથી તેથી જરા પણ બંધ અટકતો નથી. જ્ઞાનીને યથાર્થ શ્રદ્ધા-જ્ઞાન છે ને રાગ યથાર્થ સાધે છે એટલે કે રાગમાં વ્યાપ્યા વિના પોતામાં રહીને રાગને જાણે છે, તેથી તેને આસ્રવ બંધ થતાં નથી. આવા ભાન વિના જપ-તપાદિ કરે તો વૃથા છે. જ્ઞાનીને અવ્રતના ભાવ હોય તો પણ તેણે આસ્રવ-બંધ અટકાવી રાખેલ છે. એમ અહીં અપેક્ષાએ કથન કરેલ છે. દોષ સંયોગને લીધે થયો નથી. તે વખતની સ્થિતિ તેવા રાગની છે ને સ્વ-પર પ્રકાશક જ્ઞાનની એવી જ છે-એમ જ્ઞાની જાણે છે.
જ્ઞાનનો પર્યાય જ્ઞાનમાં વ્યાપક છે કે રાગમાં વ્યાપક છે તેવા ભેદની અજ્ઞાનીને. ખબર નથી. તે ગમે તેટલાં વ્રત કરે તોયે જરાપણ બંધ અટકતો નથી. જ્ઞાની લડાઈમાં હોય છતાં રાગદ્વેષ નિમિત્તને લીધે નથી ને સ્વભાવમાં રાગ નથી-એમ જાણે છે. વળી તેને અસ્થિરતાનો રાગ થયો જ નથી એમ પણ નથી, પણ પોતામાં રહીને અસ્થિરતાના રાગને જાણે છે. આમ યથાર્થ જાણે છે તેથી તેને નિરાશ્રવ કહ્યો છે. વસ્તુસ્વરૂપને યથાર્થ જાણ્યા વિના બધું અયથાર્થ છે. આ બધી વાત ઉપયોગના જોરની અપેક્ષાએ કરી છે.
હવે ચારિત્રની વાત કરે છે. જ્ઞાન એકલા જ્ઞાનમાં વ્યાપ્ય-વ્યાપક થઈને એકલા જ્ઞાનને દેખવા-જાણવા લાગે ને અવસ્થામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com