________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૧૩, મંગળ ૧૩-૧-૫૩
પ્ર. -૩૮
આત્મામાં અંતર્મુખ થઈ અનાકુળ શાંતિનું વદન થવું તેને અનુભવ પ્રકાશ કહે છે. પર્યાયમાં વિભાવ હોવા છતાં ત્રિકાળી સ્વભાવ તો વિભાવ રહિત છે-એમ પ્રતીતિના જોરમાં અનુભવ થવો તે ધર્મ છે. આત્મા અનંત શક્તિનો ભંડાર છે, જેટલી પર્યાય કાઢવા માગે તેટલી નીકળી શકે તેમ છે-એમ ભાન કરે તો ધર્મ થાય.
અનાદિ કાળથી સંસારમાં ડહાપણ કર્યું છે પણ પોતાને જાણવા માટે શઠપણું કર્યું છે. પિઠાઈ કરીને વિકાર પકડી પકડીને પરનું વ્યસન થઈ ગયું છે. જેમ અમલ (કેફ ) ચડે ને અમલ છોડી શકે નહિ તેવી રીતે પુણ્ય-પાપનું વ્યસન થઈ ગયું છે. પોતે પુણ્યપાપમાં ગાઢો થયો છે, કર્મ ગાઢો કરાવ્યો નથી. દેહ-દેવળમાં બિરાજતો પ્રભુ આનંદમૂર્તિ છે, તેનું વ્યસન નહિ કરતાં પુણ્યપાપનું વ્યસન લાગ્યું છે. ધ્રુવ સ્વભાવની શુદ્ધિને વિસારી છે, ભવ ઘણા પ્રકારના બાંધ્યા છે. જેમ લીંડી પીપરમાં અંદર શક્તિ પડેલી છે, તેમ આત્મામાં આનંદ ને શુદ્ધતા ભરેલી છે તે ભૂલીને ઘણા ભવોને ધાર્યા. સ્વરૂપની શુદ્ધતામાં અંધ થઈ વિકારમાં સર્વસ્વ માની વિકારના ધંધે વળગી ગયો છે. અજ્ઞાની જીવ બાહ્યમાં દયાદાનાદિ વૃત્તિમાં સુખ માનીને દોડયો, વિકાર કરું તો ધર્મ થાયએમ માને છે.
શાસ્ત્રમાં દરેક ગુણને વેપારી કહ્યો છે, આત્માનો જ્ઞાન સ્વભાવ છે તે પોતાની રીતને છોડે નહિ. અજ્ઞાન તથા રાગ-દ્વેષ ન કરે માટે જ્ઞાન વેપારી છે. અજ્ઞાની જ્ઞાનવેપારની રુચિ છોડીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com