________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૭ ]
[ ૨૩૯
66
ઘટ પટ આદિ જાણ તું તેથી તેને માન,
જાણનારને માન નહિ કહીએ કેવું જ્ઞાન ?”
તારું જ્ઞાન કેવું? કે જે સ્વભાવની હયાતીએ બધું જણાય છે. જગતનું અસ્તિત્વ જ્ઞાને નક્કી કર્યું છતાં જ્ઞાન પોતાનો નકાર કરે છે. તને લાજ આવતી નથી? અમને આત્મા ન સમજાય –એમ કહેતાં શરમ આવતી નથી ? સંસારની વાતો કરવામાં ડાહ્યો છે, પણ પોતાને જાણવામાં શઠ છે, તારી અવળાઈને લીધે તે હઠ પકડી છે. દર્શનમોહનીયકર્મ નડે છે એ વાત લીધી નથી. ધિઠાઈ પકડી પકડીને તને ૫૨નું વ્યસન થયું છે પણ આત્માનાં સ્વભાવની રુચિ કરતો નથી. માટે આત્માના સ્વભાવની રુચિ કરવી તે ધર્મ છે.
વિઠાઈ
લજ્જારહિત જિદ્દીપણું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com