________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૬]
| [૨૨૯ પ્રમાણ શ્રુતજ્ઞાન સાધક છે ને આખી વસ્તુની સાબિતી થવી તેનું ફળ છે. વિવેચન દ્વારા વસ્તુધર્મને ગૌણ-મુખ્ય કરે તે નયસભંગી છે અને ગૌણ-મુખ્ય ન કરી અભેદવૃત્તિ-અભેદ ઉપચારથી કહે તે પ્રમાણ સમભંગી છે.
(૪૭) “શાસ્ત્રનું સમ્યક્ અવગાહન સાધક છે ને શ્રદ્ધાગુણજ્ઞપણું સાધ્ય છે.” શાસ્ત્રનું સમ્યક્ અવગાહન કરે ને ભણે તો સાધક થાય; તેમાંથી શ્રદ્ધાગુણનું જ્ઞાન કરવું તે સાધ્ય છે. આખા ચિદાનંદની પ્રતીતિ કરે તેને શ્રદ્ધા કહે છે. જે આત્માની શ્રદ્ધા ન જાણે તેને શાસ્ત્રનું અવગાહન કર્યું નથી.
અહીં શાસ્ત્રને સમ્યક પ્રકારે અવગાહે તેની વાત છે. અહો ! ત્રિકાળ શુદ્ધ અખંડ આત્મા મારી શ્રદ્ધાનો વિષય છે. શાસ્ત્ર આમ કહેવા માગે છે એમ અપૂર્વ મહિમા લાવી શાસ્ત્રનો ભાવ સમજે તેને સાચી શ્રદ્ધા પ્રગટે છે.
શ્રી સમયસાર ગાથા ૧૧ માં કહ્યું છે કે વ્યવહાર અભૂતાર્થ છે. ભૂતાર્થના આશ્રયે જીવ સમ્યગ્દર્શન પામે છે. આમ શાસ્ત્રનું અવગાહન કરે. પર્યાયને અભૂતાર્થ કેમ કહે છે? પર્યાય દ્રવ્યમાં નથી, એમ કહીને શું કહેવા માગે છે? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તો પર્યાય છે તો શું કહેવા માગે છે?
ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. પર્યાયનો નિષેધ કરવાનું કારણ શું? અખંડ સ્વભાવને બતાવવા પર્યાયને ગૌણ કરી, વ્યવહાર કહી, અભૂતાર્થ કહેલ છે. પર્યાયના ભેદનું લક્ષ, ભેદનો આશ્રય છોડાવવા અને ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાત્ર ભૂતાર્થનો આશ્રય કરાવવા એમ કહ્યું છે, અખંડ સ્વભાવને ભૂતાર્થ એમ કહેલ છે. આમ શાસ્ત્રનું બરાબર અવગાહન કરે તો તે સાધન થાય. આખા ચૈતન્યતત્ત્વનો વિશ્વાસ કરાવે છે. અનેક પ્રકારના ભેદને ગૌણ કરી કાઢી નાખ્યા, સામાન્ય ને વિશેષના ભેદો જાણીને અભેદમાંથી ભેદો કાઢી નાખ્યા.
પર્યાયને અભૂતાર્થ કર્યા વિના સ્વભાવમાં ઢળી શકાય નહિ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com