________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માગશર વદ ૮, મંગળ ૯-૧૨-૫૨
પ્ર. - ૩
આ અનુભવપ્રકાશ ગ્રંથ છે. અંતરિણિત દ્વારા આત્માનો અનુભવ થાય તેને અનુભવપ્રકાશ કહે છે. પર્યાયમાં જે વિકાર છે તેના અવલંબને આત્માનો અનુભવ થતો નથી, પણ પર્યાયને અંતરમાં વાળવાથી અનુભવ થાય છે. અનુભવ કહો કે મોક્ષમાર્ગ કહો એક જ છે. જે પર્યાય રાગમાં એકત્વ થતી તે પર્યાય સ્વભાવમાં એકાગ્ર થતાં નિજાનંદ પ્રગટ થાય છે. મોક્ષમાર્ગની અવસ્થા ગુણોમાં એકત્વ થતાં થાય છે. પ્રથમ સ્વરૂપ ખ્યાલમાં લેવું જોઈએ. શિષ્ય સાંભળે છે તે વખતે વિકલ્પ વર્તે છે, ગુરુ ઉપર લક્ષ જાય છે. તે વ્યવહાર ભલે હો પણ આત્માનો અનુભવ તો અંતરમાં વળવાથી થાય છે. આ એક જ માર્ગ છે, બીજો માર્ગ નથી. પોતાની જ્ઞાનદશા સ્વભાવ તરફ વળે તો આનંદનો અનુભવ થાય છે. આત્મામાં અનંતા ગુણો છે, તેનું સંક્ષેપમાત્ર વર્ણન કરે છે. આત્મા છે તો તેની શક્તિઓ છે કે નહિ? છે. તેની વર્તમાન અવસ્થા છે કે નહિ? જે વર્તમાન અવસ્થા થાય છે તેને સ્વભાવ તરફ વાળવી એ જ ધર્મ છે.
અનંતા ગુણોનો પિંડ પ્રભુ ચેતનાનો પુંજ છે. જાણવા-દેખવાના ગુણ સાથે અનંતા ગુણો છે. તે બધાને અભેદ ગણી ચેતનાનો પુંજ કહી દીધો છે. અવસ્થાને અંતરમાં વાળવી તે ધર્મ છે, પુણ્ય-પાપમાં રોકાવું તે સંસારનું કારણ છે.
શ્રી સમયસારમાં સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં ૪૭ શક્તિનું વર્ણન આવ્યું છે. તેનું બીજી ઢબથી અહીં વર્ણન કરે છે. આ વિધિ સમજતાં શુભરાગ આવે તેને પુણ્ય સમજવું, પણ જે વિધિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com