________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૩૫]
[૨૧૯ તે ખરેખર કાળલબ્ધિ છે. પર કાળના અનુસાર લબ્ધિ નથી. સાધક જીવ નિમિત્ત સામે કે રોગ સામે જોતો નથી. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વભાવ સામે જાએ છે. કોઈ ચીજ ચૂલા ઉપર પાકવા મૂકી હોય તો તે પાકવાની તૈયારી થાય પણ ઘરમાં તે ચીજ જ ન હોય ને ચૂલે ચડાવ્યા વિના કહે કે ચીજ પાકવાની તૈયારી થઈ ગઈ છે તો તે ખોટું છે. તેમ આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન વિના મોક્ષનો પાક થતો નથી. ધર્મી જીવે શ્રદ્ધાજ્ઞાન કરી આત્માને પકવવા ચડાવ્યો છે તો તે જ્ઞાની જાણે છે કે પુરુષાર્થ અનુસાર તે પાકી જશે એટલે મોક્ષદશા થશે. કાળે મોક્ષ થશે એમ લોકો કહે છે, પણ કોનો કાળ? પોતાના શુદ્ધસ્વભાવમાં ઢળી સ્વભાવનો કાળ. મારો સ્વભાવ જ્ઞાન, દર્શન ને આનંદરૂપ છે એમ નિર્ણય કરે છે તેને સ્વભાવની સિદ્ધિ હોય છે, સાધકની દષ્ટિ બહારના ફળ ઉપર નથી પણ સ્વભાવ ઉપર હોય છે, તેથી તેનો કાળ પાકી જાય છે. માટે કાળલબ્ધિ સાધક છે ને સ્વભાવસિદ્ધિ સાધ્ય છે.
(૨૨) કોઈ કહે કે અમે શબ્દ સમજીએ છીએ પણ અર્થ સમજતા નથી, તો તેને શબ્દ સાધક કહેવાતો નથી. વાણીનો અર્થ ન સમજે તો નકામું છે, “ગોળ” શબ્દ સાંભળ્યો પણ તેનો અર્થ ન સાધે તો તે શબ્દ સાધક થતો નથી. ગોળના બે અર્થ થાય છે. એક ખાવાનો ગોળ છે ને બીજી કોઈ ચીજ ગોળ હોય તેને ગોળ કહે છે. માટે કહેનારના ભાવ મુજબ જે હોય તેમ સમજવું જોઈએ, તો શબ્દને સાધક કહેવાય.
શાસ્ત્રમાં પણ ઘણા શબ્દો હોય છે પણ તેનો અર્થ ન સમજે તો શાસ્ત્રનાં શબ્દો સાધક કહેવાતા નથી. જેમકે “સમ્યગ્દર્શન’ શબ્દ છે તો
ત્યાં આત્માના ભાનપૂર્વક આત્માની સભ્યશ્રદ્ધા કહેવા માગે છે, એમ સમજે તો સમ્યગ્દર્શન’ શબ્દ સાધક કહેવાય; માટે શબ્દ સાધક ને અર્થ સાધ્ય છે.
(૨૩) અર્થ સાધક છે. હવે તે અર્થને સમજે તો આત્મામાં શાંતિનો રસ છે એમ સમજે. અર્થ સમજે તેને આત્માની મજા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com