________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૭, બુધ ૭-૧-૫૩
પ્ર. -૩ર.
સાધ્ય-સાધકની વાત ચાલે છે. સમ્યભાવ સાધ્ય છે તે વસ્તુનો જાતિસ્વભાવ સિદ્ધ થવો સાધ્ય છે. આત્માના દ્રવ્ય-ગુણ ને પર્યાયની સમ્યક પ્રકારે શુદ્ધિ થવી તે સાધક છે ને આવા જ દ્રવ્ય-ગુણ-પર્યાય હોય એમ વસ્તુની જાતિ સિદ્ધ થવી તે તેનું પરિણામ અથવા ફળ છે.
(૨) સમ્યભાવ સાધક છે ને વસ્તુસ્વભાવ જાતિ સિદ્ધ થવી સાધ્ય છે.
(૩) પહેલાં ગુણની વ્યાખ્યા કરે છે. બધા ગુણો અસહાય સ્વતંત્ર છે, એમ સિદ્ધ કરે છે. કોઈને લીધે કોઈ ગુણ નથી, દરેક ગુણ સ્વયંસિદ્ધ છે. સમ્યફભાવ તેને કહીએ જે બધા ગુણોને સિદ્ધ કરે. ચારિત્ર ચારિત્રને લીધે છે, શ્રદ્ધા શ્રદ્ધાને લીધે છે એમ નક્કી કરવું જોઈએ. જ્ઞાન પૂર્ણ અવસ્થાને પામે એવો તેનો ગુણ છે. ગુણને આવરણ ન હોય ને તે અભેદરૂપ પૂર્ણ પ્રગટે, ત્યાં આવરણ ન હોય. જ્ઞાનગુણમાં હીણું પરિણમન થાય છે તે તેનું સ્વરૂપ નથી. એક સમયમાં પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય એવો મારો ગુણ છે, એમ નિર્ણય કરવો તે સમ્યભાવ છે. જેવા ગુણો છે તેવી તેની યથાર્થ જાતિને નક્કી કરે તો આત્માનો અનુભવ થાય. જ્ઞાનગુણની શક્તિ એવી છે કે તે અભેદ રહીને સ્વપર બધાને જાણે. આ એક ગુણનો ન્યાય આપ્યો.
શ્રદ્ધાગુણનું એમ નક્કી કરવું જોઈએ કે શ્રદ્ધામાં આવરણ ન હોય તેમ જ વિપરીતપણું હોવું ન જોઈએ-એવો શ્રદ્ધાળુણ છે. એમ બધા ગુણો નક્કી કરવા જોઈએ. ચારિત્રગુણમાં સ્વરૂપની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com