________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૯]
[૧૭૭ આત્માનો જાણવાનો સ્વભાવ એક પ્રકારે છે, પુણ્ય-પાપના વિકારો અનેક છે, કેમકે અનેક સંયોગોને અવલંબીને થયેલ છે. આત્માને જાણવું-દેખવું એકરૂપ સ્વભાવને અવલંબી થયેલ છે માટે તે એક પ્રકારે છે. તેનો અનુભવ કરવો તે ધર્મ છે.
પ્રશ્ન :- આ ન સમજાય ત્યાં સુધી શું કરવું?
સમાધાન :- ન સમજાય ત્યાં સુધી આ સમજવાની મહેનત કરવી. સ્વભાવ શું વિભાવ શું, કોના વલણથી લાભ કે નુકસાન થાય તેનો વિચાર કરવો. ઊંધો પ્રયત્ન કરે છે તો હવે સાચો પ્રયત્ન કરવો. શરીર ને વિકાર તરફ વલણ હતું તે ફેરવી નિત્યાનંદ સ્વભાવનું વલણ કરવું તે તારા હાથમાં છે. તારી અવસ્થાનો ધરનાર તું છો, સર્વજ્ઞદેવ કે ગુરુ તારા પરિણામને ફેરવનાર નથી.
લક્ષણ-પ્રસિદ્ધિએ લક્ષ્ય-પ્રસિદ્ધિ છે. ચેતના-લક્ષણ છે, તેનાથી આત્મદ્રવ્ય પ્રસિદ્ધિ છે, કેમકે ચેતના સાક્ષાત્ જીવ છે. રાગદ્વેષ પર્યાયમાં થાય છે, તે અશુદ્ધનયથી જીવના છે, પણ શુદ્ધનયથી જીવના નથી. શુદ્ધનયથી જાણવા-દેખવાના પરિણામ જીવના છે, તેથી જીવ શુદ્ધ ચેતનારૂપ થયો.
રાગાદિ ભાવોમાં જીવ પોતે પ્રવર્તે છે તે કર્મચેતનારૂપ થઈ પ્રવર્તે છે; તેમાં કર્મના ઉદયને લીધે પ્રવર્તવું પડે છે–એમ નથી. પોતે પોતાની પર્યાયમાં રાગદ્વેષરૂપે પરિણમે છે. રાગદ્વેષ પરમાં નથી, તેમ જ પરને લીધે નથી.
જીવ વિકાર કરે તો કર્મને નિમિત્ત કહેવાય. વિકારરૂપી કાર્યમાં ચેતના પ્રવર્તે તે અધર્મ છે ને ચેતના જીવમાં પ્રવર્તે તે ધર્મ છે. જ્ઞાનચેતના, કર્મચેતના ને કર્મફળચેતના જીવમાં હોય છે. પુણ્ય-પાપના ભાવ કર્મચેતના છે, ને હરખ-શોકના ભાવ કર્મફળચેતના છે. અને ચેતના એકાકારરૂપે ચેતે તે જ્ઞાનચેતના છે. તે ત્રણે પોતાની પર્યાયમાં થાય છે. જીવની ચેતના વિકારરૂપે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com