________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે. પોતાના સ્વરૂપની સંભાળ કરવાનું કહ્યું છે, પરની સંભાળ કરવાનું કહ્યું નથી. અજ્ઞાની જીવ રાગદ્વેષાદિની સંભાળ કરવા રોકાયો છે તેને છોડી સ્વભાવને સંભાળે તો સાચી દષ્ટિથી શ્રદ્ધા અપેક્ષાએ દુઃખનો નાશ થાય ને ચારિત્રમાં સ્થિરતા કરતાં કરતાં દુ:ખનો સર્વથા નાશ થાય.
આ અહિંસા પરમો ધર્મ છે. પરની અહિંસા કે હિંસા કોઈ કરી શકતું નથી. પોતાના સ્વરૂપની સંભાળ તે અહિંસા છે. અજ્ઞાની જીવ પૈસાદિ સંયોગો માટે અશુદ્ધ ચિંતવન કરી દુઃખની પરિપાટી કરે છે ત્યાં પૈસા પૈસાને કારણે આવે છે પણ જીવે રાગનો પ્રયત્ન પોતાની પર્યાયમાં કર્યો છે. જીવે પુણ્ય-પાપભાવ અથવા રળવાના-ખાવાપીવાના ભાવની અશુદ્ધતાની પ્રાપ્તિ કરી છે. કાંઈ પર ચીજ, પૈસા, મકાન વગેરે આત્માની પર્યાયમાં પેસતા નથી તો પછી તે ચીજોની પ્રાપ્તિ જીવને થઈ કેમ કહેવાય? પરચીજ-પૈસા વગેરે જીવને પ્રાપ્ત થયા નથી, પણ જીવને મમતા-આકુળતા અથવા અશુદ્ધ ભાવની પ્રાપ્તિ થઈ છે. જીવના સ્વક્ષેત્રમાં ને સ્વકાળમાં દુઃખની પ્રાપ્તિ થઈ છે.
જુઓ, દીપચંદજી ગૃહસ્થ હતા છતાં કેવી સરસ વાત કરે છે. અજ્ઞાની જીવ અશુદ્ધ ચિંતવનથી દુઃખની પ્રાપ્તિ કરે છે ને સ્વભાવની સંભાળ કરે તો દુઃખ નાશ થાય. સામગ્રી લીધે અશુદ્ધ ચિંતવન થતું નથી, સામગ્રી એક સમયમાત્ર જીવને અડતી નથી.
આત્મા જ્ઞાન, આનંદ વગેરે અનંતા ગુણોનો પિંડ છે, તેનાં શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતા કરે તો એક ક્ષણમાં સર્વ દુઃખ નાશ થાય ને કાયમી આનંદમય પરમપદ પ્રગટ થાય. જીવ કાં તો દુઃખની પરિપાટીને પામે અથવા શાશ્વત આનંદપદને પામે, તે પદ મેળવવા માટે બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી.
જીવ અનાદિથી પોતાની સંભાળ ન કરતાં પરમાં પોતાનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com