________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૧૨, રવિ ૨૮-૧૨-પર
પ્ર. - ૨૨
ચારે વેદ-દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ ને ધર્મ કથાનુયોગનું રહસ્ય વીતરાગતા છે. પંચાસ્તિકાયમાં શાસ્ત્રતાત્પર્ય ને સૂત્રતાત્પર્યની વાત આપેલ છે. ગાથા દીઠ અર્થ સમજવો તે સૂત્રતાત્પર્ય છે ને આખા શાસ્ત્રનો સાર વીતરાગતા છે. ચારે અનુયોગોએ ગમે તે પ્રકારે વાત કરી હોય, અભેદની-ભેદની, નિશ્ચયની-વ્યવહારની તોપણ તેનો સાર વીતરાગતા છે. ચિદાનંદ અખંડ જ્ઞાયકમૂર્તિ પુણ્ય-પાપથી પર છે. શુભાશુભભાવ તેના કાળે હોય, પણ જ્ઞાનસ્વભાવની રુચિ ને રમણતા તે જ બધાં શાસ્ત્રોનો સાર છે. કોઈ શાસ્ત્ર એમ કહેતું નથી કે રાગમાં અટકવા જેવું છે કે નિમિત્તને મેળવવા જેવું છે. અહીં સત્સંગના નિમિત્તનું જ્ઞાન કરાવ્યું, પણ પરમાં અટકે તે શુભરાગ છે. નિશ્ચય આત્માનું જ્ઞાન કરે તો ગુરુના સત્સંગને વ્યવહાર કહેવાય. આત્મા જ્ઞાનમૂર્તિ છે, તેની અવસ્થામાં વિકલ્પ હોવા છતાં તેની રુચિ છોડી સ્વભાવની રુચિ ને એકાગ્રતા કરાવી તે ધર્મ છે. મંદિરો મંદિરોના કાળે હોય ને તે વખતે તેના તરફનો રાગ પણ હોય, છતાં જ્ઞાયકસ્વરૂપને શ્રદ્ધવું, જાણવું ને તેમાં ઠરવું તે સાર છે.
અજ્ઞાનીને પણ જ્યારે સમજાશે ત્યારે કહેશે કે અમે ભીંત ભૂલ્યા હતા. વ્યવહારના વર્ણન ગમે તેટલાં હોય પણ ચૈતન્ય દ્રવ્ય અખંડ પડ્યું છે તેના તરફથી રૂચિ, જ્ઞાન ને એકાગ્રતા એ જ માર્ગ છે. આ વસ્તુસ્થિતિ છે, એ જ વસ્તુદર્શન છે. સાચી સમજણ વખતે દેવ-ગુરુ હોય છે, પણ દેવ-ગુરુ મળ્યા માટે સમજણ થઈ એમ નથી, પણ ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com