________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૨૦]
રાજા પાસે જવું હોય તો તેના ઇલ્કાબ-નેક નામદાર, શમશેરબહાદૂર વગેરેથી બોલાવે તો મહેલની અંદર જઈ શકે ને મુલાકાત થાય, પણ રાજાને ગાળો આપે તો રાજદરબારમાં જવા ન દે. તેમ ચિદાનંદ ચૈતન્ય-રાજાની વિરુદ્ધ પુણ્ય-પાપનાં વખાણ કરીને અંદર આત્મામાં પેસાય નહિ, પણ જેવો સ્વભાવ છે તેવા તેનાં ગુણગ્રામ કરે, પ્રતીતિ કરે તો આત્માની અંદરમાં પેસાય. અધૂરી દશામાં શુભરાગ આવે છે પણ તે બંધન છે, સ્વભાવના આશ્રયે જે દશા પ્રગટે તે મોક્ષમાર્ગ છે ને પૂર્ણદશા પ્રગટે તે મોક્ષ છે. પુણ્યથી પવિત્રતા પ્રગટતી નથી. પોતાના ચિદાનંદના અવલોકન વિના બહારના અવલોકન જીવ રખડ્યો છે.
હું આત્મા જ્ઞાનાનંદ છું તેવી પ્રતીતિ કરી જેટલો સ્થિર થયો તેટલો આવરણનો અભાવ થયો ને તેટલો તેટલો શુદ્ધ થયો.
સ્વરૂપની વાર્તા પ્રીતિ કરી સાંભળે તેને ભાવી મુક્તિ કહી છે
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता । निश्चितं स भवेद्रव्यो भावि निर्वाण-भाजनम् ।।
(પાનંદી પંચવિંશતિકા ) જેણે વિકાર રહિત આત્માની પ્રતીતિ કરી ને પુણ્ય-પાપની પ્રીતિ છોડી છે તેણે શાસ્ત્ર સાંભળ્યું છે. સ્વરૂપની પ્રીતિ કરી સ્વરૂપની વાર્તા સાંભળે તે જીવ અલ્પકાળમાં મુક્તિ પામે, પણ અજ્ઞાની કહે છે કે મુક્તિ માટે બહારનાં કાંઈ સાધન નહિ હોય? ના. જે શુભરાગ આવે છે તે બધા વિકલ્પો છે, તે સાધન નથી. અનંતા સિદ્ધો સ્વરૂપને સાધી સિદ્ધ થયા છે. આત્મામાં ચિદાનંદ સિવાય વિકાર આદિ કાંઈ પણ નથી. જ્ઞાયક અનાકુળ આત્માની વાર્તા પ્રીતિ કરી, સ્વસમ્મુખ રહી સાંભળે તે જીવ મુક્તિનું ભાજન અવશ્ય થાય છે.!
અહો! આત્મા પરિપૂર્ણ જાણનાર સ્વભાવી છે, રાગ તથા શરીરાદિને ભિન્નપણે જાણે છે. પૂર્ણ જ્ઞાનપ્રકાશથી ભરેલો ચૈતન્ય પોતે છે, તેવી પ્રીતિ અથવા રુચિ કરી તેની લીનતા કરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com