________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
[ શ્રી અનુભવ પ્રકાશ છે. જેની સત્તા ભિન્ન છે, તેની સાથે આધાર-આધેય સંબંધ હોઈ શકે નહિ. વળી શેયને પોતાનો આધાર માને છે, શરીર આત્માના આધારે ટકે છે એમ માને છે, પણ શરીર શરીરના કારણે રહે છે, આત્માને લીધે રહેતું નથી. જડની પર્યાય જડના આધારે રહે છે, છતાં આત્માને લીધે રહે છે-એમ માનવું તે પાખંડભાવ છે.
શરીર શરીરના કારણે રહે છે, આયુકર્મ નિમિત્તમાત્ર છે. આયુનાં સ્વચતુષ્ટયને શરીરનાં સ્વચતુષ્ટય જુદાં જુદાં છે. આયુને લીધે જીવે છે એવું કથન નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા માટે છે. આત્મા ચિદાનંદની દૃષ્ટિ કર્યા વિના શરીરના વિયોગે હું મર્યો ને શરીરના સંયોગે હું જીવ્યો-એમ માનવું તે ભ્રાંતિ છે.
એ રીતે સર્વ વિપરીતતા અજ્ઞાની અનાદિથી કરે છે, તેથી જીવનો સમ્યગુણ મિથ્યાત્વરૂપ પરિણમ્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com